બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / After UP, one more state will not get liquor on January 22, decision taken in CMO meeting

અયોધ્યા રામ મંદિર / UP બાદ વધુ એક રાજ્યમાં 22 જાન્યુઆરીએ દારૂ નહીં મળે, CMO બેઠકમાં લેવાયો નિર્ણય

Priyakant

Last Updated: 03:04 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં દારૂના ઠેકાણાઓ બંધ કરવાનો આદેશ જાહેર કર્યા બાદ હવે વધુ એક રાજ્યમાં લેવાયો મોટો નિર્ણય

  • રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બે રાજ્યોમાં 22 જાન્યુઆરીએ દારૂ નહીં મળે
  • ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાન બંધ રહેશે
  • ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવી

Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આ દિવસને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. એ જ રીતે પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાન બંધ રહેશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે દેહરાદૂનમાં યોજાયેલી બેઠક દરમિયાન આ અંગે આદેશ આપ્યા હતા. આ સાથે તેમણે નિર્દેશ આપ્યો કે, 14 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યમાં સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. જિલ્લાઓના મંદિરો, ઘાટો, સ્થાપનાઓ અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરીએ તમામ મોટા મંદિરો અને ગુરુદ્વારાઓમાં પ્રસાદ વહેંચવો જોઈએ.

યુપીમાં પણ 22મી જાન્યુઆરીએ ડ્રાય ડે રહેશે
આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં દારૂના ઠેકાણાઓ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આબકારી વિભાગે રાજ્યના તમામ આબકારી કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ તમામ દારૂના ઠેકાણાઓ બંધ કરવામાં આવે.
 
રાજ્યના આબકારી કમિશનરે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તેને જોતા રાજ્યમાં તમામ દારૂની દુકાનો બંધ રહેશે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લાયસન્સધારક આ બંધ કરવા માટે કોઈપણ વળતર અથવા દાવા માટે હકદાર રહેશે નહીં. આબકારી કમિશનરે કહ્યું છે કે, તમામ જિલ્લા આબકારી અધિકારીઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

વધુ વાંચો: રામ જન્મભૂમિની માટીથી લઇને...., પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા મહેમાનોને અપાશે આ આકર્ષક ગિફ્ટ્સ, જાણો શું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ