બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After tomatoes, banana prices skyrocket, Rs 400 for 20 kg, but farmers still suffer
Priyakant
Last Updated: 05:09 PM, 7 July 2023
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાગાયતી પાકમાં કેળાંનુ વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે બોડેલીના ચલામલી વિસ્તારમાં હાલમાં કેળાના ભાવમાં ઉછાળો આવતાં ભાવ આસમાને પહોંચ્યો પણ કેળામાં નુકશાન હોવાથી ખેડૂત દુઃખી છે. રાજ્યમાં કેળાના ભાવ ખૂબ મોટા પાયે ભાવ વધ્યા છે પરંતુ ખેડૂતોને તો નુકશાન થઈ રહ્યું છે. 20 કિલો કેળાના ભાવ રૂ.400 વધારે થઈ ગયા છે. પરંતુ ખેડૂતો માટે આફત યથાવત છે. બીપોરજોય વવાઝોડાના કારણે થયેલા નુકશાનને પહોંચી વળવા માટે કોઈ ઉપાય ન હોઇ હવે ખેડૂતો સર્વે કરીને વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખેડુતોને ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત જાણે એમ છે કે, ખેડૂતો માટે રોકડિયા પાક તરીકે કેળની ખેતી માટે આગવી ઓળખ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અનેક વિસ્તારના કેળાંની માંગ ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યમાં સપ્લાય થાય છે. હાલમાં કેળાના ભાવમાં ઉછાળો આવ્યો છ. જોકે ખેડૂતો ગેલમાં આવે તે પહેલાં તેઓને દુઃખ સહન કરવું પડ્યું છે.
કેળાંના ભાવ તો વધ્યા પણ.....
નોંધનીય છે કે, કેળાના ભાવ રૂ.230 થી વધીને રૂ.425 થતાં ખેડૂતોને સારા ભાવની આશા જાગી હતી, પરંતુ ખેતીમાં થયેલા નુકશાનના કારણે ખેડૂતો ખર્ચ પણ સરભર કરી શકે તેમ નથી. બોડેલી તાલુકામાં કેળાંની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે, આ વિસ્તારના કેળાં બજારમાં સારી શાખ બન્યા છે. ગત્ વર્ષે શ્રાવણની શરૂઆત પહેલાં કેળાના ભાવ રૂ.450 સુધી પહોંચ્યા હતા.
તાજેતરમાં જિલ્લામાં ચોથી જુનના રોજ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી બાગાયત પાક પકવતા ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ઉભા તૈયાર થયેલા મહામુલા કેળના પાક સામે પ્રચંડ પવન સાથે ફુંકાયે લા વાવાઝોડાથી જમીનદોસ્ત થતા ખેડૂતો પરેશાન છે. કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ આ વિસ્તાર માટે થયું નથી.
સરકાર સહાય કરે તેવી માંગ
આ તરફ પંથકમાં વાવાઝોડા બાદ કેળાંના પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. જોકે સરકાર દ્વારા કોઈ સહાય જાહેર ના થતાં ખેડુત આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. કેળાના બજાર ભાવ વધવા ધટવા પાછળ કુદરતી અને કૃત્રિમ અનેક પરિબળો કારણભૂત છે. મોંધાભાવના ટીસ્યુના રોપા, ખાતર સહિત અન્ય મજુરી ખર્ચો મોંધા થતાં ખેડૂતોને આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh