બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / After the incident at Surat railway station, tickets were closed at the Ahmedabad platform, in system alert mode

મોટો નિર્ણય / સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં, અમદાવાદ પ્લેટફોર્મ ખાતે ટિકિટો બંધ કરાઈ, જવાનો તૈનાત કરાયા

Priyakant

Last Updated: 01:20 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Railway Station Latest News: અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ 5થી 6 હજાર પ્લેટફોર્મ ટિકિટોનું થતુ હતુ વેચાણ, પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરાયો

  • સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ
  • અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો કરાઈ બંધ
  • અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને નહીં મળે પ્રવેશ
  • સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે યોજી બેઠક

Ahmedabad Railway Station : દિવાળીના તહેવારો વચ્ચે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે. સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. નોંધનિય છે કે, ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. 

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, પહેલા અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ 5થી 6 હજાર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ થતુ હતુ. જોકે હવે પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરાયો છે. ગઈકાલે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. જેથી હવે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે.

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે હવે જનરલ કોચ નજીક RPF અને GRPને સ્ટેન્ડ ટુ રાખી લાઈનમાં ઉભા રાખી પ્રવેશ અપાઈ રહ્યો છે. આ સાથે હવે 70થી વધુ GRP, 60થી વધુ RPF પોલીસ અને 50 હોમગાર્ડ જવાનો સ્ટેશન ખાતે તૈનાત રહેશે. રેલવે સ્ટેશન ખાતે પોલીસજવાનો રાઉન્ડ ધ ક્લોક ૩ શિફ્ટમાં ડ્યુટી કરશે.

સુરતમાં શું બની હતી ઘટના ?
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી. કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મૃતકના ભાઈને સાત્વના પાઠવી હતી. તેમજ ઇજાગ્રસ્ત મહિલાના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ સમગ્ર બનાવના તાગ પણ મેળવ્યા હતા. અત્રે જણાવીએ કે, તહેવારને લઈ મુસાફરોમાં વધારો થયો છે. રેલવેની મોટા ભાગીની ટિકિટ બુક થઈ ગઈ છે. જ્યારે એસ ટી નિગમમાં પણ મુસાફરોનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ