બ્રેકિંગ ન્યુઝ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો
Hiralal
Last Updated: 04:40 PM, 11 March 2024
મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા પર વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓનું કહેવું છે આ માતા સરસ્વતીનું જુનું મંદિર છે તો મુસ્લિમો તેને કમલ મૌલા મસ્જિદ ગણાવી રહ્યાં છે. હિંદુઓ ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે કરાવવા માગે છે અને હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની પર આજે ચુકાદો આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે સોમવારે ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી છે. હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ છ સપ્તાહની અંદર આ સર્વે પૂરો કરી લેવાનો આદેશ આપ્યો છે. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ આપી હતી કે હાઈકોર્ટે કાશીની જ્ઞાનવાપીની જેમ ધરના ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા યુપીના કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો પણ એએસઆઈ સર્વે થયો હતો.
ADVERTISEMENT
#WATCH | Ghaziabad, UP | On the MP High Court's verdict that allows ASI survey at Bhojshala temple, Advocate Hari Shankar Jain, says, "...The court has given a detailed order today to form a committee including five senior members of ASI, people from the side of the petitioner… pic.twitter.com/jYwuTaGBFv
— ANI (@ANI) March 11, 2024
ADVERTISEMENT
ભોજશાળા એક એએસઆઈ સંરક્ષિત સ્મારક
ભોજશાળા એક એએસઆઈ સંરક્ષિત સ્મારક છે, જેને હિંદુઓ વાગદેવી (માતા સરસ્વતી)નું મંદિર કહે છે અને મુસ્લિમ સમુદાયો તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. ભોજશાળામાં નમાજ વાંચવા સામે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ અરજી દાખલ કરી હતી.
BIG BREAKING NEWS 🗞️
— PallaviCT (Modi Ka Parivar) (@pallavict) March 11, 2024
Madhya Pradesh High Court approves ASI survey at disputed Bhojshala complex in Dhar
Bhojashala was a complex built by the great Raja Bhoja, dedicated to Maa Saraswati as a centre for Sanskrit studies 🙏🙏
The temple🛕was allegedly destroyed by invaders… pic.twitter.com/cy9VPoXCcv
ભોજશાળા મંદિર કે મસ્જિદ?
બે વર્ષ પહેલાં હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એએસઆઈ પાસેથી વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી કરવામાં આવી હતી, જેમાં ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ તે જાણવામાં આવ્યું હતું. અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ફોટોગ્રાફ્સના આધારે કોર્ટે સર્વેની મંજૂરી આપી હતી. અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે સ્તંભોમાં સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, જેમની પ્રતિમા લંડનના સંગ્રહાલયમાં છે.
Advocate Vishnu Shankar Jain tweets, "My request for ASI survey of bhojshala/dhar in Madhya Pradesh is allowed by Indore High Court..." pic.twitter.com/MzJdLbCDq5
— ANI (@ANI) March 11, 2024
શું છે ભોજશાળા
ઈ.સ. 1000-1055 દરમિયાન, પરમારા વંશના રાજા ભોજે ધારમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી જેને પાછળથી ભોજશાળા અને સરસ્વતી મંદિર તરીકે માન્યતા મળી. ધાર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીં અભ્યાસ માટે આવતા હતા. બાદમાં આ સ્થળને મુસ્લિમ શાસકોએ મસ્જિદમાં ફેરવી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે તેના અવશેષો હજી પણ નજીકની કમલ મૌલાના મસ્જિદમાં હાજર છે.
उफ्फ! यह दर्द, यह पीड़ा!
— BhikuMhatre (Modi's Family) (@MumbaichaDon) March 11, 2024
Indore HC has ordered ASI survey of Bhojshala, located in Dhar district of #MadhyaPradesh.
In support of its claim of having a Saraswati temple at Bhojshala,
Hindu side has presented historical proofs before HC.
Bhojshala is protected monument under… pic.twitter.com/WRbJMVcado
અલાઉદ્દીન ખિલજીએ 1200 વિદ્યાર્થીઓ-શિક્ષકોને મારીને હવન કૂંડમાં ફેંક્યાં હતા
હિંદુ જનજાગૃતિ સમિતિના અહેવાલ મુજબ સન 1305માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળા પર હુમલો કરીને તેને કબજે કરી લીધી હતી ત્યારે બાદ ઈસ્લામ કબૂલ ન કરવા પર 1200 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મારી નખાવીને ભોજશાળાના જ વિશાળ હવન કૂંડમાં ફેંકી દેવડાવ્યાં હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT