બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 09:39 PM, 8 June 2023
અનેક વિદ્વાનો કહે છે કે ભગવદ ગીતાએ જીવન જીવવાના પાઠ શીખવે છે. તેથી જ તો ભગવદ ગીતા વાંચવી અને જીવનમાં ઉતારવી જરૂરી છે. આજના કળિયુગમાં પણ ભાવગદ ગીતા ઘરે ઘરે છે. પરંતુ કોઈપણ ઘરમાં એનું વાંચન કે તેનું અમલીકરણ જોવા નથી મળતું. જ હવે ગીતાને અભ્યાસ ક્રમમાં દાખલ કરવાની ઉમરાણ ઉઠી છે. અનેક વિદ્વાનો દ્વારા પણ કેન્દ્ર સરકારને ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સુરતની શાળા વન્ડરફૂલ એકેડમી દ્વારા ધોરણ 1 થી 8ના બાળકો માટે ગીતાને અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવી છે. ગીતા થકીથી બાળકોના જીવનનું ઘડતર કરવા સાથે સનાતન ધર્મ વિશે બાળકો જાણી શકે તે માટે શાળામાં અભ્યાસક્રમ તરીકે ગીતા ભણાવવામાં આવશે.
બાળકોને ગીતા કેમ ન શીખવવી જોઈએ
સુરત શહેરમાં આવેલી વન્ડરફૂલ એકેડમી દ્વારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે ભગવદ ગીતા શીખવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિચાર આવતા પહેલાં તેમણે ભગવદ ગીતા વિશે બાળકોના જ્ઞાનને ચકાસવાનું નક્કી કર્યું અને બાળકો ભગવદ ગીતા વિશે જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો બાળકો ગીતા વિશે જાણતા હતાં. પરંતુ તેમણે ક્યારેય ગીતાને વાંચી નહોતી ત્યારે શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જીવનના તમામ સવાલોના જવાબ જો ગીતામાં હોય તો બાળકોને ગીતા કેમ ન શીખવવી જોઈએ અને શાળાએ નક્કી કર્યું કે બાળકોને અઠવાડિયામાં એક વખત ગીતાના શ્લોક શીખવવામાં આવશે. શાળા દ્વારા બાળકો માટે ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરાયો. તેના માટે એક નવા શિક્ષકની પણ શોધ કરવામાં આવી અને હવે આગામી દિવસોમાં બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલતા નજરે ચઢશે.
સુરતની શાળામાંથી ગીતાના સાર
શાળા દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનો આ એક નવો અભિગમ ખરેખર સરાહનીય છે.. કારણ કે જે વ્યક્તિ ગીતાને જીવનમાં ઉતારે છે તે વ્યક્તિનું સમગ્ર જીવન ધન્ય થાય છે. હવે આગામી દિવસોમાં સુરતની શાળામાંથી ગીતાના સાર સાથે બાળકો પોતાનું ભાવિ ઘડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime