બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A person died after a 3-storey building collapsed in Ahmedabad

દુર્ઘટના / અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી: એકનું મોત, અન્ય 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Malay

Last Updated: 10:24 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • મીઠાખળીમાં 3 માળનું મકાન ધરાશાયી
  • જર્જરિત મકાન ધરાશાયી થતાં એકનું મોત
  • અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વરસાદી માહોલમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે એક જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા એલીસબ્રિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

મીઠાખળી વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી
મળતી માહિતી અનુસાર, આજે સવારે શહેરના મીઠાખળી ગામમાં આવેલું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં ઘરના પાંચ સભ્યા દટાયા હતા. જે બાદ આ અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી હતા. 

મકાન ધરાશાયી થવાની ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ
ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાટમાળ હટાવીને તેની નીચે ફસાયેલા 4 લોકોને બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં ઘરમાં રહેતા ચાર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. 

મણિનગરમાં બાલ્કનીનો ભાગ થયો હતો ધરાશાયી
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ