બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Malay
Last Updated: 03:56 PM, 7 January 2023
અમદાવાદમાં આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઓર્ચિંડ ગ્રીન નામની બિલ્ડિંગના સાતમા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગતા 17 વર્ષની સગીરાનું કરૂણ મોત નીપજ્યું છે. ફાયરબ્રિગેડની ભૂલને કારણે 17 વર્ષીય સગીરા પ્રાંજલનું મોત થયું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીએ પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.
ગિઝર ચાલુ કરતા અચાનક ફાટી નીકળી આગ
વિગતવાર વાત કરીએ ગિરધરનગરમાં ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકના સાતમા માળે સુરેશ ગૌતમચંગ જીરાવાલા તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈના ભાઈની 17 વર્ષીય દીકરી પ્રાંજલ સુરતથી અમદાવાદ ભણવા માટે આવી હતી. તે સુરેશભાઈના ઘરે રહેતી હતી. આજે સવારે તે નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. ત્યારે ગિઝર ચાલુ કરતા અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાંજલે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. જેથી પ્રાંજલ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. તો આગ લાગતા સુરેશભાઈ અને તેમનો પરિવાર તાત્કાલિક ઘર બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રાંજલ બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.
15 ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની 15 જેટલી ગાડીએ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે લાગેલી આગને નીચેથી પચીસેક મિનિટ સુધી પાણીનો મારો ચલાવવા છતાં ઓલવી શકાતી નહોતી.
બાલ્કનીમાં જીવ બચાવવા તડફડીયા મારતી રહી સગીરા
સ્થાનકોના જણાવ્યા અનુસાર, ફાયર ફાઈટર દ્વારા પાણીનો જે મારો ચલાવવામાં આવતો હતો, એ ફક્ત 5મા માળ સુધી જ જઈ શકતો હતો. વાસ્તવમાં આગ 7મા માળના ફ્લેટમાં લાગી હતી અને આગ વધતી જ જતી હતી. કોઈ રીતે આગ કાબૂમાં આવી જ નહોતી રહી, કારણ કે એને ઓલવવા માટે પાણીનો ફોર્સ પૂરતો નહોતો. તો બાલ્કનીમાંથી પોતાનો જીવ બચાવવા માટે 17 વર્ષીય પ્રાંજલ ચીસાચીસ કરી રહી હતી.
પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી
જે બાદ ફ્લેટના જ રહીશ ફાયરબ્રિગેડને સામેની વિંગમાં 7મા માળે લઈ ગયા હતા. ત્યાં જઈને ફાયરની ટીમે સીધો સામેના જ ફ્લેટ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ કારણે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તેના માંડ અડધો કલાક પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. તરુણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું.
પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાતઃ પ્રત્યક્ષદર્શી
આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, બૂમા બૂમનો અવાજ સંભળાતા હું નીચે દોડી ગયો હતો. ત્યાં જઈને જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી, તે ગેલરીમાંથી જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતી હતી . ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું. જેથી મેં તેમને બાજુની બિલ્ડિંગમાંથી પાણી નાખવા જણાવ્યું હતું અને અંતે આશરે 25-30 મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. જો પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો દીકરી બચી જાત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh