બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cabinet meeting will be held today at Gandhinagar under the chairmanship of CM Bhupendra Patel
Malay
Last Updated: 07:54 AM, 8 August 2023
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે મંગળવારે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે.
ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ નુકસાનીના વળતર સંદર્ભે કરાશે ચર્ચા, વાઈબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીઓની કરાશે સમીક્ષા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2023
વાયબ્રન્ટ ગુજરાત અંગે પણ ચર્ચા
મળતી માહિતી અનુસાર, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતમાં કરાશે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
સામાન્ય રીતે દર બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવારે એટલે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવવાનો સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી સોનગઢના ગુણસરા ખાતે હાજર રહેશે
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
મંત્રીઓ તાલુકા કક્ષાની ઉજવણીમાં રહેશે હાજર
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવશે, તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime