બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 08:36 PM, 1 August 2023
હાલ રાજ્યમા શ્રીકાર મેઘમહેર થઈ રહી છે. પરિણામે તમામ નદી નાળાઓમાં પુર આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૮.૯૧ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૨.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૩૯ ટકા જળસંગ્રહ
રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૦.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૪૫,૫૧૫.૧૮ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૩.૪૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૯.૮૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૬.૦૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૧.૬૩ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૭૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૩૯ ટકા જળસંગ્રહ થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૮ જળાશયો મળી કુલ ૮૯ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૧ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૫ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો 78.91 ટકા વરસાદ નોંધાયો
હાલ રાજ્યમાં સિઝનનો 78.91 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં પોણા 28 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. જેમા 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત 104 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. તે જ રીતે રાજ્યના 94 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ થયો છે. વધુમાં રાજ્યના 7 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ થયો છે.
128 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે રાજ્યમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં લુણાવડા, દાંતા, 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આંકલાવમાં સવા ઈંચ વરસાદ, નડિયાદમાં 1 ઈંચ કપરાડામાં 1 ઈંચ, ડાંગમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં પોણો ઈંચ, મેંદરડામાં પોણો ઈંચ, ચિખલીમાં પોણો ઈંચ, ભાભરમાં પોણો ઈંચ, દેગઢબારિયામાં પોણો ઈંચ, વલસાડમાં અડધો ઈંચ, ગરબાડામાં અડધો ઈંચ, દાહોદમાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, ડોલવણમાં અડધો ઈંચ, વાંસદામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh