બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 06:01 PM, 25 September 2023
મૂળ બિહારનાં રોજગાર અર્થે વાપી ખાતે ભડકમોરા ખાતે રહેતા મંતોસભાઈ રામની પત્નિ લલિતાબેનની તબીયત છેલ્લા ઘણા સમયથી ખરાબ રહેતી હતી. ત્યારે આ બાબતે મંતોસભાઈએ તેઓની પત્નિનીને નજર લાગી હોય તેવી અંધશ્રદ્ધા રાખી ઘરનો દરવાજો બંધ કરી ઘરમાં મરચા સહિતનો મસાલો ભેગો કરી ધુમાડો કર્યો હતો. ધુમાડો કર્યા બાદ અચાનક જ થોડા સમય બાદ મંતોસભાઈ તેમજ તેમની પત્નિ લલિતાબેન અને આઠ વર્ષીય પુત્રી સોનમકુમારી અને બે સાળા ધુમાડાનાં કારણે શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગયા હતા. ઘરમાંથી અચાનક જ ધૂમાડો નીકળવાનું શરૂ થતા આજુબાજુનાં લોકો તરત દોડી આવ્યા હતા અને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા તમામ લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનામાં આઠ વર્ષની બાળકીનું મોત નિપજ્યું
બનાવની જાણ થતા જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી . પોલીસના સૂત્રો મુજબ આ પરિવારે સામૂહિક આપઘાત નહીં. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામાંથી પરિવાર બેહોશ થતા આ ઘટના બની હતી. ઘટનામાં પરિવારની આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે પરિવારના ચાર સભ્યોને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વાપી ટાઉન પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.
મારી દૂર કરવા ટોડકુ લગાવ્યો હતોઃ બી. એન. જાડેજા (ડી. વાય. એસ. પી., વાપી)
વાપી પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે. કે પરિવારમાં બે સભ્યો લાંબા સમયથી બીમાર હતા .જેના કારણે પરિવાર રાત્રે મરચાનો ધુમાડો કરી ઘરમાંથી બીમારી દૂર કરવાનો ટોડકુ લગાવ્યો હતો. વારંવાર ની માદગી થી કંટાળેલ પરિવારે તબીબોના બદલે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો પરિવારનું મકાન નાનું હોવાથી મરચાનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે પરિવારનું ગુંગળાવાથી બેહોશ થઈ ગયો હતો અને એક બાળકીનું મોત થયું છે વાપી પોલીસે પરિવારના નિવેદન બાદ એફ.એસ.એલ ની પણ મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh