બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people died in an accident between a car and a truck in Saputara Ghat
Kishor
Last Updated: 10:40 PM, 4 January 2024
ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર રજી નંબર GJ-18 BM-0701 પસાર થઈ રહી હતી. આ વેળાએ લાકડા ભરેલ ટ્રક તેની પર પલટી જતા અરેરાટી મચી હતી. આ દરમિયાન કારમાં સવાર 4 પ્રવાસીઓના મોત થતા માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજ ખાતે રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ એક વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી છે.
ઓળખ માટેની તજવીજ હાથ ધરી
સાપુતારા ઘાટ પાસે લાકડાં ભરેલી ટ્રક અને ક્રેટા કારના અકસ્માતમાં એકી સાથે 4 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી છે. આ મામલે જાણ થતા વાહનચાલકો અને આજુબાજુના લોકો એકઠા થયા હતા. બીજી બાજુ અકસ્માતને પગલે રોડ પર ટ્રાંફિક જામ પણ થયો હતો. આ મામલે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સહિતની અને ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
કારનો કચ્ચરઘાણ નીકળી જતા કાર કઈ કંપનીની છે તે ઓળખવું પણ મુશ્કેલ બને તેવું હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. હાલ પોલીસે મોંતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા