બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 200 families of Mahisagar migrated due to fear of lumpy virus
Khyati
Last Updated: 12:36 PM, 28 July 2022
ગુજરાતમાં લમ્પી વાયરલ કહેર મચાવી રહ્યો છે. એકબાદ એક ટપોટપ પશુઓના મોત થઇ રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર પણ ચિંતિત જણાઇ છે. આ મામલે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા જણાવ્યું હતુ કે રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા અને અત્યાર સુધીમાં લમ્પી વાયરસને કારણ 1021 પશુઓના મોત નીપજ્યા છે. ત્યારે વધતા કહેરને પગલે મહિસાગરમાંથી લોકોએ હિજરત કરવાની ફરજ પડી.
મહીસાગરમાં 200 પરિવારે કરી હિજરત
લંપી વાયરસના ભયના પગલે મહીસાગરમાંથી 200થી વધુ પરિવારે હિજરત કરી છે. પાણી અને ઘાસચારા માટે ગુજરાત આવેલા પશુપાલકોએ હિજરત કરવાની ફરજ પડે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવેલા પરિવારે હવે પોતાના વતનની વાટ પકડી છે. કારણ કે માલધારીઓમાં ભય છે કે ક્યાંક લમ્પી વાયરસ તેઓના પશુઓને લાગુ ન પડી જાય.
બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું
તો લમ્પી વાયરસના કહેરને પગલે બનાસકાંઠા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યુ. પશુની હેરાફેરી, મેળા, પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનુ છે કે બનાસકાંઠામાં લમ્પી વાયરસના વધુ 275 કેસ નોંધાયા છે અને 119 ગામમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.
રાજ્ય સરકારે બેઠક બોલાવી આપી સૂચના
મહત્વનું છે કે મુખ્યમંત્રીશ્ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં લમ્પી સ્કીન રોગચાળા અંગે 27 જુલાઇએ સમીક્ષા બેઠક યોજી જેમાં મંત્રીશ્રીઓ અને દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પશુરોગના નિયંત્રણ માટે સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે તથા અત્યાર સુધીમાં 3.33 લાખ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હોવાની માહિતી જણાવી હતી. તેમજ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકાવવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકવા તથા રોગ પ્રભાવિત ગામોમાં રસીકરણ, દવા-સારવારનો પ્રબંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ રોકવા દવા છંટકાવ, જિલ્લા કક્ષાએ મોનિટરીંગ તેમજ સંકલન સમિતિની રચના, જનજાગૃતિના પગલાં સહિતની સૂચનાઓ તંત્રને આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં લમ્પી સ્કીન રોગચાળા અંગે સમીક્ષા બેઠક યોજી જેમાં મંત્રીશ્રીઓ અને દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પશુરોગના નિયંત્રણ માટે સરકાર તમામ શક્ય પગલાં લઈ રહી છે તથા અત્યાર સુધીમાં 3.33 લાખ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે pic.twitter.com/P29SbJPkja
— CMO Gujarat (@CMOGuj) July 27, 2022
કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી ગુજરાત- રાઘવજી પટેલ
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કચ્છ, જામનગર જિલ્લામાં આ રોગની વ્યાપક અસર જોવા મળે છે. 40,222 જેટલા પશુઓને સારવાર કરવામાં આવી, 2 લાખ 94 હજાર પશુઓમાં રસીકરણ કર્યું છે. જો કે 438 જેટલા પશુધન નિરીક્ષક કામગીરી કરી રહ્યા છે. જુદા જુદા સહકારી સંઘો ભંડોળમાંથી રસી ખરીદી કરે છે. તો ગુજરાતમાં આ વાયરસને લઇને કેન્દ્રની નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ગુજરાત આવી છે. તેઓએ જામનગર અને દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી હતી.
લમ્પી વાયરસ શું છે ?
લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips