બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / 2 town servants sitting on the stage with CM at a government meeting in Surat infected with corona
Mehul
Last Updated: 06:33 PM, 27 December 2021
રવિવારે નદી મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હતા. આ કાર્યક્રમ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ હતા. દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતના બે નેતાઓ કોરોના સંક્રમિત થતા સુરતમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં સુરતમાં શનિવારે એક મોટી પાર્ટી,ઉપરાંત સાયક્લોથોન, નદી મહોત્સવ અને બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના દૃશ્યો જોઈ સામાન્ય નાગરિકોને કોરોનાની કેન્દ્ર,રાજ્યની ગાઈડ લાઈન અને નેતાઓ દ્વારા થતા 'સુસ્ત'પાલનથી આશ્ચર્ય થાય છે. સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી કોરોનાગ્રસ્ત થતા મહાપાલિકાના અન્ય કર્મીઓ, અને ઉપસ્થિત નાગરિકોમાં દહેશત ફેલાઈ છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે ‘નદી ઉત્સવ’ નો શુભારંભ કરાવી તાપીમૈયાનું પૂજન કર્યું હતું તથા શ્રમદાનથી નદીઓને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. pic.twitter.com/2J8Gk7DpGP
— CMO Gujarat (@CMOGuj) December 26, 2021
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધતા કોરોના સંક્રમણ વચ્ચે સુરતમાં શનિવારે રાત્રે ક્રિસમસ પાર્ટીના બિહામણા દૃશ્યો ગુજરાતે જોયા. તો રવિવારે સવારે સાયક્લોથોન ,નદી મહોત્સવ, વડોદરામાં સુશાસન દિવસ,અને બોટાદની ક્રિકેટ ટુર્નામેન્ટના ભયાવહ ભીડ, ઉન્માદના દૃશ્યો આગામી દિવસોમાં સંક્રમણનો બિહામણો ચિતાર આપી ગયા. સુરતના નદી મહોત્સવના મુખ્યમંત્રીની ઉપસ્થિતિનાં કાર્યક્રમમાં નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નદી મહોત્સવ ઉપરાંત સુરત મનપાના લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેજ પર રહેલા ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. આના એક દિવસ અગાઉ જ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ કોરોનાગ્રસ્ત થયા છે'.
Live: CM dedicates/lays foundation of various development works of SMC, SUDA & Surat district administration https://t.co/iZf368BYX8
— CMO Gujarat (@CMOGuj) December 26, 2021
વડાપ્રધાન મોદી 'મન કી બાત'થી વધતા કોરોના સંક્રમણ વચ્ચે સાવધાની, તકેદારી, માસ્ક માટે અપીલ પર અપીલ કરતા રહે છે. પણ 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો વ્યવહાર આચરાતો હોવાની અનુભૂતિ થાય છે. સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો મસમોટો 'દંડ કટકટાવતી' પોલીસ સામુહિક કાર્યક્રમોમાં 'મૂક દર્શક' બની જાય છે. પછી તે કાર્યક્રમ સરકારી હોય કે સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેરિત કે ઉપસ્થિતિ વાળો હોય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime