બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Dinesh
Last Updated: 10:28 PM, 9 October 2023
2000 currency notes: નોટબંધી સમયે લોકોના હાથ સુધી પહોંચેલી 2000 રૂપિયાની નોટો હવે ભૂતકાળ બની જવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોકોને રૂપિયા 2000ની નોટો બેંકોમાંથી બદલવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ જો તમે હજુ પણ તમારી રૂપિયા 2000ની નોટો બદલી શક્યા નથી, તો ડરવાની જરૂર નથી. તમે હજુ પણ દેશના 19 શહેરોમાં રૂ. 2000ની નોટ બદલી શકો છો. જો કે સરકારે રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બહાર કરી દીધી છે. તેમ છતાં તે હજુ પણ લીગલ ટેન્ડર છે. મતલબ કે કાનૂની રીતે રૂપિયા 2000ની નોટ હજુ પણ ગેરકાયદેસર બની નથી. આ નોટો હજુ પણ આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાશે.
જૂના નિયમો માન્ય રહેશે
જો તમે આ 19 શહેરોમાં RBIની પ્રાદેશિક ઓફિસમાં રૂપિયા 2000ની નોટ બદલવા માંગો છો, તો જૂના નિયમો લાગુ થશે. તમે હજુ પણ એક સમયે રૂપિયા 2000ની માત્ર 10 નોટો એટલે કે રૂપિયા 20,000 સુધી બદલાવી શકશો. જો તમે રૂબરૂ જઈ શકતા નથી, તો તમે તમારી નોંટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની પ્રાદેશિક કચેરીને મોકલી શકો છો. તમારે નોટો સાથે તમારી બેંક વિગતો મોકલવી પડશે જેથી નોટોની રકમ તમારા ખાતામાં જમા થઈ શકે.
19 શહેરોમાં 2000 રૂપિયાની નોટો બદલાવી શકાશે
દેશના 19 શહેરોમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. લોકો અહીં જઈને તેમની રૂપિયા 2000ની નોટ બદલી શકે છે. જો તમે આ આ ઓફિસમાં જઈ તમારી નોટો બદલાવી શકો છો. આ સિવાય તમારી પાસે ભારતીય પોસ્ટ દ્વારા RBIને નોટો મોકલવાનો વિકલ્પ પણ છે.
અમદાવાદ
બેંગલુરુ
બેલાપુર
ભોપાલ
ભુવનેશ્વર
ચંડીગઢ
ચેન્નાઈ
ગુવાહાટી
હૈદરાબાદ
જયપુર
જમ્મુ
કાનપુર
કોલકાતા
લખનૌ
મુંબઈ
નાગપુર
નવી દિલ્હી
પટના
તિરુવનંતપુરમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir