બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:28 PM, 9 October 2023
ADVERTISEMENT
2000 currency notes: નોટબંધી સમયે લોકોના હાથ સુધી પહોંચેલી 2000 રૂપિયાની નોટો હવે ભૂતકાળ બની જવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોકોને રૂપિયા 2000ની નોટો બેંકોમાંથી બદલવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ જો તમે હજુ પણ તમારી રૂપિયા 2000ની નોટો બદલી શક્યા નથી, તો ડરવાની જરૂર નથી. તમે હજુ પણ દેશના 19 શહેરોમાં રૂ. 2000ની નોટ બદલી શકો છો. જો કે સરકારે રૂપિયા 2000ની નોટો ચલણમાંથી બહાર કરી દીધી છે. તેમ છતાં તે હજુ પણ લીગલ ટેન્ડર છે. મતલબ કે કાનૂની રીતે રૂપિયા 2000ની નોટ હજુ પણ ગેરકાયદેસર બની નથી. આ નોટો હજુ પણ આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાશે.
ADVERTISEMENT

જૂના નિયમો માન્ય રહેશે
જો તમે આ 19 શહેરોમાં RBIની પ્રાદેશિક ઓફિસમાં રૂપિયા 2000ની નોટ બદલવા માંગો છો, તો જૂના નિયમો લાગુ થશે. તમે હજુ પણ એક સમયે રૂપિયા 2000ની માત્ર 10 નોટો એટલે કે રૂપિયા 20,000 સુધી બદલાવી શકશો. જો તમે રૂબરૂ જઈ શકતા નથી, તો તમે તમારી નોંટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની પ્રાદેશિક કચેરીને મોકલી શકો છો. તમારે નોટો સાથે તમારી બેંક વિગતો મોકલવી પડશે જેથી નોટોની રકમ તમારા ખાતામાં જમા થઈ શકે.
ADVERTISEMENT
19 શહેરોમાં 2000 રૂપિયાની નોટો બદલાવી શકાશે
દેશના 19 શહેરોમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. લોકો અહીં જઈને તેમની રૂપિયા 2000ની નોટ બદલી શકે છે. જો તમે આ આ ઓફિસમાં જઈ તમારી નોટો બદલાવી શકો છો. આ સિવાય તમારી પાસે ભારતીય પોસ્ટ દ્વારા RBIને નોટો મોકલવાનો વિકલ્પ પણ છે.
ADVERTISEMENT
અમદાવાદ
બેંગલુરુ
બેલાપુર
ભોપાલ
ભુવનેશ્વર
ચંડીગઢ
ચેન્નાઈ
ગુવાહાટી
હૈદરાબાદ
જયપુર
જમ્મુ
કાનપુર
કોલકાતા
લખનૌ
મુંબઈ
નાગપુર
નવી દિલ્હી
પટના
તિરુવનંતપુરમ
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.