બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final: Rohit Sharma can add Ravichandran Ashwin in playing eleven says madan lal
Vaidehi
Last Updated: 06:21 PM, 17 November 2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. રવિવારે થનારી આ ફાઈનલ મેચ India vs Australia થશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ફાઈનલ્સ જીતવા મેદાનમાં ઊતરશે. જ્યારે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામ કરવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાનાં પ્લેઈંગ ઈલેવનને લઈને પહેલાથી જ વાતો શરૂ થઈ ગઈ છે. જો કે ભારતનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પોતાના વિજયી સંયોજનો પર અડગ છે. પણ શક્ય છે કે જો અમદાવાદનું ટ્રેક સ્પિન બોલર્સનાં પક્ષમાં રહ્યું તો ભારતીય ટીમમાં ફેરફાર આવી શકે છે.
The #CWC23 Finalists are confirmed 🙌🏻
— BCCI (@BCCI) November 16, 2023
India 🆚 Australia
🏟️ Narendra Modi Stadium, Ahmedabad 👌🏻#TeamIndia | #MenInBlue pic.twitter.com/QNFhLjbJZV
રવિચંદ્રન અશ્વિનને ચાન્સ?
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર મદનલાલનું માનવું છે કે જો પિચમાં ટર્ન રહેશે તો અશ્વિનને ફાઈનલ રમવાનો મોકો આપવામાં આવશે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,' રવિચંદ્રન અશ્વિનનું સિલેક્શન પિચની પરિસ્થિતિ પર આધારિત છે. પણ મને નથી લાગતું કે ભારત ઑસ્ટ્રેલિયાની સામે ફાઈનલમાં વિજયી સંયોજનને બદલવાનો વિકલ્પ પસંદ કરશે.'
કુલદીપ યાદવ પર બોલ્યાં મદનલાલ
મદનલાલે આગળ જણાવ્યું કે ઑસ્ટ્રેલિયાની ટીમ તબરેઝ શમ્સીને ખચકાઈ રહી હતી અને કુલદીપ યાદવ માટે પણ આ ટીમ રમવા માટે સરળ નહીં રહે. મને વિશ્વાસ છે કે તમને અમદાવાદમાં બેટિંગ કરવા માટે એક શાનદાર ટ્રેક મળશે.
ઑસ્ટ્રેલિયાની સામે પહેલા પણ રમી ચૂક્યાં છે અશ્વિન
બીજી તરફ સુનીલ ગાવસ્કરે મદન લાલની સલાહનો વિરોધ કરતાં કહ્યું કે એવી કોઈ શક્યતા નથી કે અશ્વિનને રમવાનો મોકો મળશે. જો એવું થાય છે તો હાલનાં દિવસોમાં ભારતનાં સર્વશ્રેષ્ઠ બોલર્સમાંના એક મોહમ્મદ સિરાજને બહાર કરવું પડે. ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચમાં રવિચંદ્રન અશ્વિનને મોકો આપ્યો હતો. અશ્વિને ઑસ્ટ્રેલિયાની સામે 10 ઓવરમાં 1 વિકેટ ચટકારી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ