બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Why is the BJP forced to change its strategy before the 2024 Lok Sabha elections? Here's the reason
Priyakant
Last Updated: 08:47 AM, 13 June 2023
લોકસભા ચૂંટણી 2024ની લઈ અત્યારથી રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુને મળ્યા હતા. 2019માં એનડીએથી અલગ થઈ ગયેલા આ પક્ષના વડા સાથેની બેઠક બાદ એવી અટકળો ચાલી રહી છે કે, તેલુગુ દેશમ પાર્ટી ફરી એકવાર આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ખરાબ રીતે હરાવીને બહુમતી મેળવી હતી. કોંગ્રેસને હરાવ્યા બાદ ભાજપે અનેક રાજ્યોમાં પોતાની તાકાત વધારવા માટે પ્રાદેશિક પક્ષો પર અલગ-અલગ રણનીતિ અજમાવી. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સહયોગીઓએ ભાજપ છોડી દીધું. બીજી તરફ ધીમે ધીમે ઘણા વિરોધ પક્ષો એક થવા લાગ્યા.
વિપક્ષી એકતાનું સૌથી મોટું ઉદાહરણ
આ દરમિયાન વિપક્ષી એકતાનું સૌથી મોટું ઉદાહરણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં પણ જોવા મળ્યું હતું . જ્યારે PM મોદીના ઉદ્ઘાટનના વિરોધમાં 19 પાર્ટીઓ સમારોહમાંથી ગેરહાજર રહી હતી. આ સિવાય દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને સત્તા આપતા કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટી સાથે એક ડઝન પક્ષો પણ એકઠા થયા હતા.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે વર્તમાન વિપક્ષ એકસાથે થયા બાદ ભાજપની નવી રણનીતિ શું હશે? શું પાર્ટીમાં જૂના મિત્રો ખૂટે છે? છેલ્લી લોકસભા ચૂંટણી બાદ ભાજપે તેના ઘણા સહયોગીઓ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આવનારી લોકસભા ચૂંટણી પહેલા આ પાર્ટી પોતાના જૂના સાથી પક્ષોને ફરી પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
કયા કયા પક્ષોએ ભાજપ છોડી દીધું ?
વર્ષ 2014 અને વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હતી. જે બાદ ગઠબંધનની રાજનીતિ નબળી પડી હતી. સરકારમાં સાથી પક્ષોના પ્રતિનિધિત્વના બદલામાં ભાજપે ટોકન ભાગીદારી આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જૂના મિત્રો ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં લાંબા સમય સુધી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું પરંતુ તે પછી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી.
પંજાબ અને આંધ્રપ્રદેશમાં શું થયું ?
પંજાબમાં પણ ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના સહયોગી અકાલી દળે કૃષિ કાયદાઓને લઈને ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈ ગયા હતા. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મામલે તેલુગુ દેશમ પાર્ટીએ NDAથી અલગ થઈ ગઈ હતી. આ સિવાય જેડીયુ પણ એનડીએથી અલગ થઈ ગઈ છે.
NDA પડતાં કેટલી સીટો પર અસર પડશે?
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક તરફ કોંગ્રેસ અને અનેક પ્રાદેશિક પક્ષો ગઠબંધન સાથે મેદાનમાં ઉતરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ NDAમાં સતત વિઘટન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તેની અસર લોકસભાની બેઠકો પર થશે?
2019 પછી NDA કેમ તૂટવા લાગ્યું ?
શિવસેના, જેડીયુ, ગોરખા જનમુક્તિ મોરચા અને જનસેના જેવા પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, એનડીએ સાથે રહીને તેને નબળો પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પક્ષોએ આરોપ લગાવ્યો કે, ભાજપ રાજ્યમાં પોતાનો આધાર વધારવા માટે પડદા પાછળ રમે છે. આ સિવાય ગોરખા જનમુક્તિ મોરચાએ પણ ભાજપ પર જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આવો જાણીએ ભાજપની રાજ્ય પ્રમાણે શું છે સ્થિતિ અને રણનીતિ ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh