બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Why does the government tolerate rough roads even after paying toll tax? What is the use of Takladi highways that sit in the monsoon?
Vishal Khamar
Last Updated: 11:03 PM, 26 July 2023
સામાન્ય માણસની એ અપેક્ષા હોય કે તે જે વસ્તુ કે સુવિધા માટે કિંમત ચુકવે છે તે સુવિધા કે તેવી જ ક્વોલિટીની વસ્તુ તેને મળવી જોઈએ. આવું જ કંઈક આપણે નેશનલ હાઈ-વેના સંદર્ભમાં કહી શકીએ. સરકાર રોડ ઉપર વાહન હંકારવા માટેના મેઈન્ટેનન્સના ભાગરૂપે ટોલટેક્સ વસૂલે છે જેમાં દર વર્ષે લગભગ વધારો જ થાય છે પરંતુ તેના બદલામાં આપણને સુવિધાજનક હાઈ-વે મળે છે ખરા?. આ સવાલનો જવાબ આપણે જાતને પૂછીએ તો કદાચ ના આવશે. આપણી વાતને વધુ દ્રઢ બનાવે છે નેશનલ હાઈ-વે ઉપર ખાડાને કારણે સતત બનતી અકસ્માતની ઘટના. ટોલટેક્સ બેફામ રીતે વસૂલવામાં આવે છે.
એવો નિયમ પણ છે કે હાઈ-વે નિર્માણનો ખર્ચ નિકળી ગયા પછી ટોલટેક્સ ઓછો કરવા અને ક્રમેશ: બંધ કરવા વિચારણાં કરવી પરંતુ એવું થતું નથી.. કોઈ-કોઈ જગ્યાએ સ્થાનિકો મોટાપાયે વિરોધ કરે તો સરકાર ટોલટેક્સ ઘટાડવાનું અથવા તો ટોલનાકુ બંધ કરવા સુધીનો વિચાર કરે છે. ગુજરાતમાં જ વિરોધાભાસ જોવા મળે છે કે જ્યાં એક હાઈ-વેનું કામ ડેડલાઈન પૂર્ણ થઈ ગઈ છતા ચાલુ છે તો એક હાઈ-વે એવો છે કે જ્યાં 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધુ વાહન ચાલી જ નથી શક્તું, કદાચ આપણને એમ થાય કે આના કરતા તો શેરીનો રસ્તો હોય ત્યાં વાહન વધુ ઝડપે ચાલી જાય. સવાલ એ છે કે નાગરિકો જો ટોલ ટેક્સ ભરે છે તો તેને સારા રસ્તા કેમ નથી મળતા. હાઈ-વે ઉપર ખાડાને કારણે જીવલેણ અકસ્માતો થાય તો તેમા જવાબદારી કોની નક્કી થવી જોઈએ. ચોમાસામાં રસ્તા બેસી જાય એવા નબળી ગુણવત્તાના હાઈ-વે આપણા શું કામના.. કડવા સવાલો અનેક છે જેના જવાબ મેળવીશું આજના મહામંથનમાં
નાગરિકો ટોલટેક્સ ભરે છે છતા નબળી ગુણવત્તાના રસ્તા છે. સામાન્ય રસ્તા તો ઠીક નેશનલ હાઈ-વેની પણ ખરાબ હાલત છે. નેશનલ હાઈ-વે ઉપર અનેક સ્થળે ખાડાવાળા રસ્તા નક્કી ન થઈ શકે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે. લોકો ટોલટેક્સ ભરે છે જેના બદલામાં તે સારા રોડ મેળવવાના હકદાર છે. હાઈ-વેના રસ્તાઓનું રિપેરિંગ કરતી એજન્સી પણ હાથ ખંખેરી નાંખે છે. ખાડાઓને કારણે અકસ્માત થયા હોય તેવા અનેક બનાવ બને છે. ખાડાને કારણે અકસ્માતથી માનવમૃત્યુ પણ વધ્યા છે.
વાપી પાસે નેશનલ હાઈ-વે પર શું બન્યું?
વાપી પાસે નેશનલ હાઈ-વે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છે. એક બાઈકચાલક હાઈ-વે ઉપર જઈ રહ્યો હતો. બાઈક અચાનક ખાડામાં પટકાયું અને બાઈકચાલકે કાબૂ ગુમાવતા બાઈકચાલક નીચે પટકાયો. બાઈકચાલક પટકાયો ત્યાં જ પૂરઝડપે ટ્રક આવી રહ્યો હતો. જો કે બાઈકચાલક દૂર ખસી ગયો હતો અને ટ્રકચાલકે પણ ટ્રક ધીમી પાડી. જો થોડી પણ ચૂક થઈ હોત તો બાઈકચાલક ટ્રક નીચે આવી ગયો હોત. ખાડાની ઠોકર એ હદે લાગી કે બાઈકચાલક નીચે પટકાઈ ગયો. બાઈકચાલકે કહ્યું કે હાઈ-વે પર આવા બનાવ છાશવારે બને છે.
અમદાવાદમાં પણ ખરાબ સ્થિતિ
શાંતિપુરા બ્રિજની નીચે ડાન્સિંગ રોડ જેવો ઘાટ છે. શાહપુર પાસે શંકર ભુવનનો રોડ બેસી ગયો હતો. નેશનલ હાઈ-વે નંબર 8 પાસે ખાડા જ ખાડા છે. ઘોડાસર પાસે બ્રિજના કામકાજથી અનેક સ્થળે ખાડા પડ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh