બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
VTV / Why did the President of Ukraine Zelenskyy start trending after the victory of Aam Aadmi Party in Punjab
Vishnu
Last Updated: 08:08 PM, 10 March 2022
પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાડુએ કોંગ્રેસનો જનાધાર સાફ કરી નાખ્યો છે...આ સાથે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. સુખબીરસિંહ બાદલ, કેપ્ટન અમરિંદરસિંહ, ચરણજીસિંહ ચન્ની, નવજોતસિંહ સિદ્ધુ, પ્રકાશસિંહ બાદલ, વિક્રમજીતસિંહ મજેઠિયા તમામ મોટા નેતાઓ ઘર ભેગા થઈ ગયા છે, પંજાબના લોકોએ AAP પાર્ટી અને એમાંય ખાસ કરીને આપના સીએમ ઉમેદવાર ભગવંત માન પર ભરોસો મૂક્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ભગવંત માન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ટ્રેન્ડ થઈ રહ્યા છે.
બન્નેમાં સામ્યતા છે કોમેડિયનનું ફિલ્ડ
ભગવંત માને પણ તેમની કારકિર્દી એક્ટિંગથી શરૂ કરી હતી જ્યારે બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ એક્ટિંગની દુનિયામાંથી આવી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા છે, ત્યારે પંજાબ ચૂંટણીનું પરિણામ આવતા ભગવંત માનની સરખામણી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. અને બન્ને સૌથી વધુ ટ્રેન્ડ પણ થઈ રહ્યા છે કારણ કે
ભગવંત માન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી બન્ને કોમેડિયન હતા. જેથી તેમના બન્નેની તુલના કરવામાં આવી રહી છે.
જો ભગવંત માનની વાત કરવામાં આવે તો નેશનલ ટેલિવિઝન સહિત અનેક પંજાબી કોમેડી શોમાં તે કામ કરી ચૂક્યા છેતેમનો શો જુગનું મસ્ત મસ્ત સૌથી વધારે લોકપ્રિય થયો હતો.
Our own Indian Zelensky#Bhagwantmann #ElectionResults pic.twitter.com/1kBf72Cn11
— Free Guy (@TheFree_Guy) March 10, 2022
Both start with Comedy
— 🇮🇳 Sachin Patel 🇺🇸 (@Unfortunate_Er) March 10, 2022
Now delivering pure performance#Bhagwantmann#Zelensky #AAPRising pic.twitter.com/D4loecsWV5
ભગવંત માનની રાજકીય કારકિર્દી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વિશે જાણો
લોમાં ગ્રેજ્યુએશન કર્યું
યહૂદી ધર્મમાં માનતા વલોડિમિર ઝેલેન્સ્કીનો જન્મ 25 જાન્યુઆરી, 1978એ યુક્રેનમાં થયો હતો. પિતા ઓલેક્ઝેંડર ઝેલેન્સ્કી પ્રોફેસર અને માતા રાયમા ઝેલેન્સ્કા એક એન્જિનિયર હતા. શરૂઆતી અભ્યાસ બાજ વલોડિમિર ઝેલેન્સ્કીને ઈઝરાયલમાં સ્ટડી માટે સ્કોલરશિપ મળી, પરંતુ પિતાની પરવાનગી ન મળવા પર વલોડિમિરે યુક્રેનને કીવથી પોતાનો અભ્યાસ કર્યો છે. 2000માં કીવ નેશનલ ઈકોનોમિક યુનિવર્સિટીથી લોની ડિગ્રીથી ગ્રેજ્યુએશન કર્યું છે.
કોમેડીના શોખીન
એક સમય એવો પણ હતો જ્યારે વલોડિમિર પોતાની કોમેડી માટે જાણીતા હતા. તેની શરૂઆત અભ્યાસ વખતે થઈ હતી. 1997માં તેમણે અમુક એક્ટર્સની સાથે મળીને 'ક્વાર્ટલ 95' નામનું કોમેડી ગ્રુપ બનાવ્યું. લોકોએ તેમના કામને ખૂબ પસંદ કર્યું. પરિણામ 2003માં તેમણે પોતાના શો કરવાના શરૂ કર્યા અને પોતાના જ એક શોથી પ્રેરિત થઈને રાજનીતિમાં પગ મુકવાનો વિચાર કર્યો. આ રીતે રાજનીતિ તરફ તેમનો ઝુકાવ વધ્યો.
73 ટકા વોટ મેળવીને બન્યા રાષ્ટ્રપતિ
2018માં વલોડિમિરે રાજનીતિમાં પગ મુક્યો. તેમણે 'સર્વન્ટ ઓફ ધ પીપલ પાર્ટી' બનાવી. આ પાર્ટીથી જ તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી. ચૂંટણીમાં 73 ટકા વોટ મેળવીને બધાને ચોંકાવ્યા અને દેશના રાષ્ટ્રપતિ બન્યા.
સ્ક્રીન રાઈટર ઓલેના સાથે 2003માં થયા લગ્ન
વલોડિમિરના લગ્ન 2003માં ઓલેના વલોડિમિરિવના ઝેલેન્સ્કા સાથે થયા હતા. ઓલેના એક આર્કિટેક્ટ અને સ્ક્રીન રાઈટર છે. પરંતુ તેમણે લોકોની મદદ કરવા અને સામાજીક કાર્યો માટે પણ ઓળખે છે. કોરોના મહામારી વખતે ઓલેના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ વખાણ થયા હતા. ઓલેના કીવ નેશનલ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ રહ્યા છે અને સિવિલ એન્જિનિયરમાં ગ્રેજ્યુએશ કર્યું છે.
બે બાળકોના પિતા છે વલોડિમિર
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી અને તેની પત્ની ઓલેનાના બે બાળકો છે. એક બાળક અને એક દિકરી. બાળકનું નામ કિરિલો અને બાળકીનું નામ ઓલેક્ઝેન્ડા છે. વલોડિમિર અને તેની પત્ની ઓલેના ઈન્સ્ટાગ્રામ પર મોટાભાગે પરિવારનો ફોટો શેર કરતા રહે છે. વર્તમાન સ્થિતિની વચ્ચે વલોડિમિરને ડર છે કે તેમાન બાદ તેમના પરિવારને પ્રતાડિત કરવામાં આવશે. પોતાના હાલની સ્થિતિમાં વલોડિમિરે આ વાત શેર કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ