બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / VTV વિશેષ / Whose eighteen bends! What happened to CJ Chavda in Congress after long loyalty? Reasons that surfaced 'quietly'
Vishal Khamar
Last Updated: 09:58 PM, 19 January 2024
વિચક્ષણ બ્યુરોક્રેટથી લઈને સૌમ્ય રાજકારણી સુધીની સી.જે.ચાવડાની સફર કોંગ્રેસ સાથે રહી છે. દાયકાઓની કોંગ્રેસની સફરમાંથી હવે સી.જે.ચાવડાએ પોતાનો રસ્તો બદલ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સી.જે.ચાવડાના રાજીનામાની અટકળો ઘણા સમયથી ચાલતી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ પણ સી.જે.ચાવડા કૂટનૈતિક સ્વભાવના ભાગરૂપે આત્યંતિક પ્રહારો કરવાથી દૂર રહ્યા અને ગર્ભિત ઈશારા સાથે એટલું કહ્યું કે હવે મારો અને કોંગ્રેસનો રસ્તો અલગ છે.
સી.જે.ચાવડા જેવા વરિષ્ઠ ધારાસભ્યનું રાજીનામું પડે એટલે સ્વભાવિક છે કે હવે તે પક્ષપલટો કરશે તેવી અફવાઓ જોર પકડે. જો કે ભાજપમાં તેઓ જશે કે કેમ તેમા પણ સી.જે.ચાવડાનો જવાબ રાજનેતાને છાજે એવો જ હતો. સવાલ એ છે કે ત્રણ દાયકા જેટલો સમય કોંગ્રેસ સાથે વીતાવ્યા પછી હવે રસ્તો બદલવાની જરૂર કેમ પડી. સી.જે.ચાવડા હાથ છોડીને કમળ હાથમાં પકડશે કે નહીં?
સી.જે.ચાવડાએ શું કહ્યું?
મારો અને કોંગ્રેસનો રસ્તો હવે અલગ છે. કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. કોંગ્રેસ કોઈની ટીકા કરે તો યોગ્ય દલીલ સાથે કરે છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી. ભાજપમાં જોડાવા અંગે હાલ કોઈ વાત થઈ નથી. હું મારા મતવિસ્તારમાં જઈશ, લોકોને મળીશ. મને મારા મતદારો કહેશે તે મુજબ નિર્ણય કરીશ. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો મારા સંપર્કમાં છે. અન્ય ધારાસભ્યોએ ક્યાં જવું એ હું નક્કી ન કરી શકું. ભાજપ કાર્યકરના આધારે ચાલતી પાર્ટી છે. કાર્યકરોને સાથે રાખીને રાષ્ટ્રહિતમાં કામ થાય તો ચુપ રહેવું જોઈએય મેં હવે ચુપ રહેવાનું પસંદ કર્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir