બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Whose eighteen bends! What happened to CJ Chavda in Congress after long loyalty? Reasons that surfaced 'quietly'

મહામંથન / કોના અઢાર વાંકા! લાંબી વફાદારી પછી સી.જે.ચાવડાને કોંગ્રેસમાં શું ખટક્યું? 'ચૂપચાપ' રીતે સામે આવ્યા કારણો

Vishal Khamar

Last Updated: 09:58 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિજાપુરનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ એકાએક રાજીનામું આપી દેતા રાજકીય હડકંપ આવી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ મારા જેવો રસ્તો અપનાવવો છે કે નહિ તે તેમની સ્વતંત્રતા છે.

વિચક્ષણ બ્યુરોક્રેટથી લઈને સૌમ્ય રાજકારણી સુધીની સી.જે.ચાવડાની સફર કોંગ્રેસ સાથે રહી છે. દાયકાઓની કોંગ્રેસની સફરમાંથી હવે સી.જે.ચાવડાએ પોતાનો રસ્તો બદલ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સી.જે.ચાવડાના રાજીનામાની અટકળો ઘણા સમયથી ચાલતી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ પણ સી.જે.ચાવડા કૂટનૈતિક સ્વભાવના ભાગરૂપે આત્યંતિક પ્રહારો કરવાથી દૂર રહ્યા અને ગર્ભિત ઈશારા સાથે એટલું કહ્યું કે હવે મારો અને કોંગ્રેસનો રસ્તો અલગ છે. 

  • મારો અને કોંગ્રેસનો રસ્તો હવે અલગ છે
  • કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું નથી ચાલી શક્તો
  • કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે

સી.જે.ચાવડા જેવા વરિષ્ઠ ધારાસભ્યનું રાજીનામું પડે એટલે સ્વભાવિક છે કે હવે તે પક્ષપલટો કરશે તેવી અફવાઓ જોર પકડે. જો કે ભાજપમાં તેઓ જશે કે કેમ તેમા પણ સી.જે.ચાવડાનો જવાબ રાજનેતાને છાજે એવો જ હતો. સવાલ એ છે કે ત્રણ દાયકા જેટલો સમય કોંગ્રેસ સાથે વીતાવ્યા પછી હવે રસ્તો બદલવાની જરૂર કેમ પડી. સી.જે.ચાવડા હાથ છોડીને કમળ હાથમાં પકડશે કે નહીં?

  • અન્ય ધારાસભ્યોએ ક્યાં જવું એ હું નક્કી ન કરી શકું
  • ભાજપ કાર્યકરના આધારે ચાલતી પાર્ટી છે
  • કાર્યકરોને સાથે રાખીને રાષ્ટ્રહિતમાં કામ થાય તો ચુપ રહેવું જોઈએ
  • મેં હવે ચુપ રહેવાનું પસંદ કર્યું છે

સી.જે.ચાવડાએ શું કહ્યું?
મારો અને કોંગ્રેસનો રસ્તો હવે અલગ છે. કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી.  કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. કોંગ્રેસ કોઈની ટીકા કરે તો યોગ્ય દલીલ સાથે કરે છે.  રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી. ભાજપમાં જોડાવા અંગે હાલ કોઈ વાત થઈ નથી. હું મારા મતવિસ્તારમાં જઈશ, લોકોને મળીશ. મને મારા મતદારો કહેશે તે મુજબ નિર્ણય કરીશ. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો મારા સંપર્કમાં છે. અન્ય ધારાસભ્યોએ ક્યાં જવું એ હું નક્કી ન કરી શકું. ભાજપ કાર્યકરના આધારે ચાલતી પાર્ટી છે. કાર્યકરોને સાથે રાખીને રાષ્ટ્રહિતમાં કામ થાય તો ચુપ રહેવું જોઈએય મેં હવે ચુપ રહેવાનું પસંદ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ