બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 05:04 PM, 30 April 2019
મુંબઇ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આવતીકાલે 1 મે ના રોજ 31મો જન્મદિવસ ઊજવશે. એ ઉત્તર પ્રદેશની જાણીતી જગ્યા અયોધ્યામાં 1 મે, 1988એ જન્મી હતી. અનુષ્કાએ વર્ષ 2008માં ફિલ્મ 'રબને બના દી જોડી'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ એને હિટ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'માં પણ જોવા મળી હતી. એને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
બૉલીવુડમાં અનુષ્કાનું અફેરની ચર્ચા અભિનેતા રણવીર સિંહ, શાહિદ કપૂર, અર્જુન કપૂર, સુરેશ રૈના, જોહેબ યૂસુફ અને રણબીર કપૂર સાથે રહી હતી. છેવટે અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે વર્ષ 2017માં લગ્ન કરી લીધા. લગ્ન પહેલા અનુષ્કા અને વિરાટ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.
વાત કરીએ તો અનુષ્કાના હસબન્ડ વિરાટની તો એ ક્રિકેટ મેદાનમાં જેવો આક્રમક જોવા મળે છે રિયલ લાઇફમાં એટલો જ સંવેદનશીલ છે. એક ઇન્ટરવ્યૂમાં વિરાટ ખુદે એ વાતનો ખુલાસો કરી ચુક્યા છે. એમને જણાવ્યું હતું કે એક વખત અનુષ્કા શર્મા સાથે વાત કરતાં ખૂબ રડ્યો હતો. વિરાટે જણાવ્યું હતું કે 'મને કૉલ પર ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનવાના સમાચાર આપવામાં આવ્યા હતા, આ સાંભળ્યા બાદ મે અનુષ્કા શર્માને કોલ કર્યો.'
વિરાટે આગળ જણાવ્યું કે 'એ દરમિયાન મને મારા કરિયરની શરૂઆત સમય યાદ આવવા લાગ્યો હતો, કારણ કે મે ક્યારેય વિચાર્યું નહતું કે મારું કરિયર એક ક્રિકેટ એકેડમીથી લઇને એક ટેસ્ટ કેપ્ટન બનવા સુધી પહોંચી જશે.' જણાવી દઇએ કે આ વાતો જણાવતા વિરાટ કોહલીના આંખમાં ખુશીના આંસુ હતા. નોંધનીય છે કે વિરાટને વર્ષ 2017માં ભારતીય ટીમને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
વિરાટે કહ્યું કે જ્યારે એને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા કહ્યું એ દરમિયાન મોહાલીમાં હતા, અહીંયા તે ટેસ્ટ સીરિઝ રમી રહ્યો હતો. એ દરમિયાન અનુષ્કા શર્મા પણ એની સાથે હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ