બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / મનોરંજન / બોલિવૂડ / Waheeda Rehman to be honored with Dadasaheb Phalke Award this year, I&B Ministry announced
Megha
Last Updated: 02:36 PM, 26 September 2023
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આની જાહેરાત કરી છે.
I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema.
— Anurag Thakur (@ianuragthakur) September 26, 2023
Waheeda ji has been critically acclaimed for her…
વહીદાજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે આશા પારેખને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ વર્ષે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સન્માન માટે 85 વર્ષીય વહીદા રહેમાનની પસંદગી કરી છે. નોંધનીય છે કે દાદાસાહેબ ફાળકે ભારતીય સિનેમાનો સૌથી મોટો પુરસ્કાર છે, જે મનોરંજન અને ખાસ કરીને સિનેમાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.
અનુરાગ ઠાકુરે આ વિશે જાહેરાત કરી
આ વિશે જાહેરાત કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું, 'મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અને સન્માન થાય છે કે વહીદા રહેમાન જીને સિનેમાની દુનિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એમને આગળ વહીદા રહેમાનની સિદ્ધિઓ ગણાવી છે.
Veteran actor #WaheedaRehman chosen for Dadasaheb Phalke Lifetime Achievement Award this year. pic.twitter.com/xzezA8m5Ue
— All India Radio News (@airnewsalerts) September 26, 2023
પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત
એમને લખ્યું, "વહીદા જીએ પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને અન્ય જેવી ફિલ્મો માટે વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમની 5 દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે દરેક પાત્રને સુંદર રીતે નિભાવ્યા હતા. એમને 'રેશ્મા ઔર શેરા' અને 'કુલવધુ'ની ભૂમિકાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વહીદાજીએ સખત મહેનત કરતી ભારતીય મહિલાના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે."
प्रसिद्ध अभिनेत्री वहीदा रहमान को इस साल के दादा साहब फाल्के लाइफटाइम अचीवमेंट पुरस्कार के लिए चुना गया है।#WaheedaRehman | #DadasahebPhalkeAward pic.twitter.com/N4MjtMv0qc
— डीडी न्यूज़ (@DDNewsHindi) September 26, 2023
આગળ એએમને કહ્યું કે "એ સમયે જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તે ભારતીય સિનેમાની અગ્રણી મહિલાઓને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમણે તેમની ફિલ્મો પછી પોતાનું જીવન અન્ય અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું. હું તેમને અભિનંદન આપું છું અને તેમના સમૃદ્ધ કાર્ય માટે મારું સન્માન વ્યક્ત કરું છું જે ફિલ્મ ઈતિહાસનો એક ભાગ બની ગયું છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir