બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vapi corona bomb in wedding in goa
Gayatri
Last Updated: 11:29 AM, 21 March 2021
ગોવામાં લગ્ન પ્રસંગ માં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત થતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. મોટા ભાગના એકજ કુંટુબના હોવાથી લોકોમાં વધુ ડર વ્યાપી રહ્યો છે.
વાપીના 2 ઉધોગપતિ પરિવારે ગોવામાં લગ્નપ્રસંગ રાખ્યો હતો જેમાં વાપી સહિત વલસાડ જિલ્લામાંથી 122 લોકો લગ્નમાં ગોવા ગયા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત આવતા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.
જાનૈયાઓની તપાસમાં ઘટસ્ફોટ
વલસાડ આરોગ્ય વિભાગની તપાસ માં 16 જાનૈયાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના પોઝિટિવમાંથી મોટા ભાગના જે પરિવારોમાં લગ્ન હતો તે પરિવારો નાજ સભ્યો છે. આમ વાપીના ઉધોગપતિ પરિવારોનો ગોવાનો લગ્ન પ્રસંગ ખુશીઓની સાથે સાથે કોરોના સંક્રમણ વહેંચણીનો પ્રસંગ પણ બની રહ્યો હતો. હાલ તો આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં 1565 નવા દર્દી જ્યારે 969 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 381 કેસ અને ગ્રામ્યમાં 103 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 401 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 121 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ