બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / Vadodara rocked: Three families committed mass suicide in last two months, Vadapaun lorry case horrifying
Vishal Khamar
Last Updated: 10:51 PM, 2 August 2023
સામાન્ય રીતે વડોદરા શહેરને સંસ્કારી નગરી શિક્ષણ નગરી કહેવામાં આવે છે. પરંતુ આજ નગરમાં સમાજ ને હાચમચવી મૂકે તેવી ઘટના ઓ આકાર લઇ રહી છે. શહેરમાં બે મહિનામાં ત્રણ પરિવાર ના 7 સભ્યો એ સામૂહિક આત્મ હત્યા કરી જીવન ટૂંકાવયું છે .
કેમ આખા પરિવાર આત્મ હત્યા ના પગલે જઈ રહ્યું છે. જીવન માં શું ખૂટી રહ્યું છે કે પોતાના પ્રિયજનો સાથે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. મોઘવારીના સમય માં આર્થિક સંકડામણ,બદલાતી સમાજ વ્યવસ્થા એટલે કે વિભક્ત કુટુંબો,લોકો ની દુઃખ સહન કરવા ની શક્તિ ઓછી થઈ રહી છે આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
કિસ્સો.1 ..ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સમાં રહેતા આશિષ રાણે વડાપાઉંની લારી ચલાવતો હતો. અને નોકરી પણ કરતો હતો અને પત્ની આરતી સાથે અઢી વર્ષના પુત્ર સાઈ સાથે રહેતો હતો. નજીકમાં કોઈ સગાના સંપર્કમાં પણ ના હતો અને નાનકડા માસૂમ પુત્રને એકલો મૂકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
કિસ્સો..2...કારેલીબાગ વિસ્તારમાં એક મહિના પહેલા માતા દક્ષા ચૌહાણે બે દીકરી હની ચૌહાણ અને શાલિની ચૌહાણની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પોતે પણ પંખા સાથે લટકી ગઈ હતી. જોકે આ કેસમાં બંને દીકરીના મોત થયા જ્યારે માતા સારવાર દરમ્યાન બચી જવા પામી હતી.અહી યુવાન દીકરીઓની છૂટાછેડા લીધેલી માતાએ કેવી રીતે દીકરીઓને મોટી કરવી તેમના સપના સાકાર કરવા તેની મુઝવણમાં હતી અને બંને પુત્રીઓની હત્યા કરી નાખી.
કિસ્સો..3...ગઈ કાલે વડોદરાના પિરામિતા રોડ પર આવેલી કાછિયાપોળમાં પંચાલ પરિવારે આત્મહત્યા કરી લીધી. આ પરિવારના મોભી મુકેશ પંચાલ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા. જોકે પુત્ર મિતુલ કોલેજ પછી કંઇજ કામ ધંધો કરતો ના હતો. અને જે મકાન માં ભાડે થી રહેતા હતા. તે મકાન અન્ય વ્યક્તિ ને વેચતા મકાન ખાલી કરવાનું હતું. પરિવાર આર્થિક રીતે મુશ્કેલી મૂકયો હતો જેના કારણે પંચાલ પરિવારે જીવન ટૂંકાવ્યું. પુત્ર મિતુલનો મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં પંખા સાથે લટકતો હતો. જ્યારે ઝેરી દવા પીધા બાદ ગળે ટૂંપો દીધેલી હાલતમાં નયના પંચાલની લાશ મળી હતી. જ્યારે ગળા ના ભાગે ઇજાગ્રસ્ત મુકેશ પંચાલને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું છે.
ત્રણેય પરિવાર આર્થિક સંકડામણ ના કારણે મુશ્કેલીમાં હતું. આ ઉપરાંત મોઘવારીના સમયમાં કેવી રીતે જીવવુંએ એક સવાલ છે. જોકે આ પરિસ્થિતિ આ પરિવારો એકલાજ (વિભક્ત) કુટુંબમાં જીવતા હતા. તેથી ના તો સગા સબંધી કામ આવ્યા, ના સમાજ કામવ્યો કે ના સિસ્ટમ કામ આવી. તમામ આ દુનિયામાંથી વિદાય લીધી.સમાજે સરકારે ,સંસ્થાઓએ વિચારવાનો સમય આવી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh