બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / vadodara panigate clash between two group

જૂથ અથડામણ / વડોદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ: દિવાળીએ જ બે સમુદાયો સામસામે આવી જતા પથ્થરમારા સાથે આગચંપી, પોલીસનું કોમ્બિંગ

Dhruv

Last Updated: 08:29 AM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફરીવાર દિવાળીના ટાણે બે સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. જ્યાર બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું છે.

  • વડોદરામાં ફરીવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ
  • પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ
  • પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો

એકવાર ફરી ગુજરાતમાં કેટલાક અમાસાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે કેટલાક સમુદાયો દ્વારા શાંતિ ડહોળવાવામાં આવી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે જ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાર બાદ પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી. બંને સમુદાયના લોકોએ નજીવા વિવાદને લઇ વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સાથે પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું છે.

પોલીસ CCTV ફુટેજ તપાસી રહ્યાં છે

પથ્થરમારો એટલી હદ સુધી થયો હતો કે, આખાય રસ્તા પર ચારે બાજુ પથ્થર જ પડેલા દેખાતા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે. આ પથ્થરમારો શા કારણે થયો એ અંગે હાલ પોલીસ CCTV ફુટેજ તપાસી રહ્યાં છે. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી પોલીસ માહિતી લઈ રહી છે. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. શું આ ઘટના દરમ્યાન સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો કે કેમ એ અંગે પણ તપાસ હાલ શરૂ છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી રહી છે. એ ઘરમાંથી પણ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ શ્રીજીની સવારી દરમ્યાન થયો હતો પથ્થરમારો

અગાઉ પણ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમ્યાન જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી હતી. શ્રીજીની સવારી દરમ્યાન મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

વડોદરાના રાવપુરામાં પણ અગાઉ થઇ હતી જૂથ અથડામણ

આ અગાઉ વડોદરાના રાવપુરા વિસ્તારમાં પણ બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ થઇ હતી. શહેરના રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.

સળગતા સવાલ

  • વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
  • અસામાજિક તત્વો પર લગામ ક્યારે?
  • કાયદો હાથમાં લેનારાને સજા ક્યારે?
  • ક્યાં સુધી આવા છબકલા થતા રહેશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ