બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / vadinath Mahadev Mandir pran pratishtha mahotsav

મહેસાણા / રબારી સમાજનો રૂડો અવસર! વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ, વિકલાંગ ભાઈની અનોખી સેવા જોવા જેવી

Vaidehi

Last Updated: 07:25 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રબારી સમાજનું આસ્થાનું ધામ વાળીનાથ મહાદેવ અખાડા ધામ, તરભ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શુભારંભ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠાનાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. શોભાયાત્રા બાદ પોથી યાત્રા તેમજ કળશ યાત્રા પણ યોજાઈ હતી જેમાં મહંત જયરામગીરી બાપુ સહિત ઘણાં મોટા સંતો જોડાયા હતા.

  • રબારી સમાજનું આસ્થાનું ધામ વાળીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  • પ્રથમ દિવસે શોભાયાત્રા થઈ જ્યારે અંતિમ દિવસે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા યોજાશે
  • હજારો-લાખો ભક્તોની મેદની મંદિરે દર્શનાર્થે પહોંચી હતી

સોમનાથ મહાદેવ બાદ ગુજરાતમાં બીજા નંબરનું નવીન નિર્માણ પામેલ શિવધામ વાળીનાથ તરભ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે . પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. અહી રોજ ત્રણ થી ચાર લાખ ભક્તો દર્શન કરવા આવનાર હોવાનો અંદાજ છે. જેના માટે તમામ સુચારુ વ્યવસ્થા કરાઇ છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો સ્વયંભૂ સેવા કરવા ઉમટી પડ્યા છે.સ્વયંસેવકો વાળીનાથ ધામ માં દર્શનાર્થે આવતા ભક્તો ને મુશ્કેલી ના પડે તેવી રીતે સેવા કરી રહ્યા છે.

3 થી 4  લાખ જેટલા ભક્તો દર્શને ઉમટ્યાં
પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે આશરે 3 થી4   લાખ જેટલા ભક્તો દર્શને ઉમટ્યાં હતાં. સવારનાં આયોજન બાદ મોટી સંખ્યામાં ભક્તો પૂજ્ય ગીરિબાપુના મુખેથી કથાનું રસપાન કર્યું હતું. ત્યાર બાદ ભાતીગળ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને મોટીવેશનલ સ્પીકર પ્રોગ્રામ તેમજ રાત્રીનાં ભવ્ય સંતવાણી પ્રોગ્રામનું આયોજન પણ મંદિર પરિસર ખાતે કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો છે. વાળીનાથ ધામ ખાતે દૂર દૂરથી ભક્તો અને સાધુ સંતો પણ દર્શનાર્થે આવ્યાં છે. સમારોહનાં છેલ્લા દિવસે એટલે કે 22 ફેબ્રુઆરીનાં રોજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનાં કાર્યક્રમનું પણ વિશેષતઃ આયોજન કરાયું છે. 

વધુ વાંચો: ગઢવી- ચારણ સમાજ પર આહીર આગેવાન ગીગા ભમ્મરનું વિવાદાસ્પદ નિવેદન, ઘસાતું બોલ્યા, જુઓ વીડિયો

હજારો સ્વયંસેવક સેવામાં જોડાયા
ભક્ત રજનીભાઈ દેસાઈએ જણાવ્યું કે -30થી 35 હજાર વસ્તી અહીં રોકાવા આવી છે જેમની સંપૂર્ણ વ્યવસ્થા ભોજનથી માંડીને રાત્રે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ સમારોહ માટે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયેલા છે. વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું કે- મારું માનવું છે કે રબારી સમાજની પ્રગતિમાં અને વિકાસમાં આ સંસ્થાનો મોટો ફાળો છે. વર્ષો પહેલાં પૂજ્યા બાપૂએ બાળકોમાં પુસ્તકોનું વિતરણ કર્યું શિક્ષણનો પ્રચાર કર્યો ત્યારે જઈને રબારી સમાજ અન્ય સમાજ સાથે કદમતાલ મળાવ્યો છે.

વાળીનાથ ધામમાં ખૂબ આસ્થા ધરાવતા બંને પગે વિકલાંગ ધરમશી ભાઈની અનોખી સેવા પણ નજરે પડી હતી. તેઓ રીક્ષા ચલાવી દર્શનાર્થે આવતા વિકલાંગ અને બીમાર વ્યક્તિઓને તેઓ તેમની રીક્ષા માં ફ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અનોખી સેવા આપી રહ્યાં છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ