બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ફેશન અને સૌંદર્ય / use malai on face for glowing and flawless skin in summer
Bijal Vyas
Last Updated: 09:49 PM, 20 April 2023
Malai For Flawless Skin:ગરમીઓના સિઝનમાં પણ જો તમારે ખીલેલું રહેવું હોય તો કોસ્મેટિક પ્રોડક્ટ્સથી દૂર રહો. કારણ કે ઘરેલું ઉપાયના ઉપયોગથી તમારી ત્વચા કાચ જેવી ચમકદાર બની શકે છે. આ માટે તમારે ચહેરા પર મલાઇનો ઉપયોગ કરવો પડશે.મલાઇ નેચચરલ રીતે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે. આનાથી ટેનિંગની સમસ્યા પણ દૂર થાય છે.ત્વચા પણ મુલાયમ બને છે. આ માટે મલાઇમાં બીજી ઘણી વસ્તુઓ મિક્સ કરવાથી ફાયદો થાય છે.આવો જાણીએ ત્વચાને ચમકદાર બનાવવા માટે શું મિક્સ કરીને લગાવવું જોઈએ.
1. મલાઇઅને હળદરઃ ચહેરાને ચમકદાર બનાવવા માટે હળદર હંમેશા અસરકારક રહી છે, પરંતુ હવે તમે તેને વધુ અસરકારક બનાવવા માટે મલાઇ લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો. બે ચમચી મલાઈમાં બે ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ નોર્મલ પાણીથી ચહેરો ધોઈ લો. આ મિશ્રણને લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને ત્વચા પણ તેનાથી સુરક્ષિત રહે છે.
2. મલાઇ અને ચંદનઃ ત્વચાને ચમકદાર બનાવવા માટે મલાઇ અને ચંદન પાવડરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. ચંદન પાવડર અને મલાઇ ત્વચાને પોષણ આપવાની સાથે ત્વચામાં કુદરતી ચમક લાવે છે. ચંદન પાવડર ત્વચાને ઠંડક આપે છે. ડાર્ક સર્કલ, બળતરા અને ફોલ્લીઓથી છુટકારો મળે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી ચંદનના પાવડરમાં એક ચમચી મલાઇ મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ત્વચા પર 20 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
3. મલાઈ અને ચણાનો લોટઃ મલાઈમાં ચણાનો લોટ મિક્સ કરીને લગાવવાથી પણ ત્વચાને ઘણા ફાયદા થાય છે. આ માટે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી મલાઇ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. તે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. ડેડ સ્કિન સેલ્સને પણ સરળતાથી દૂર કરે છે.
4. મલાઇ અને મધઃ મધમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સને દૂર કરીને ત્વચાને સાફ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી મલાઈમાં એક ચમચી મધ મિક્સ કરો અને ત્વચા પર હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ પછી ત્વચાને ધોઈ લો. આ રીતે મલાઇ લગાવવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે. શુષ્કતાની સમસ્યા પણ દૂર થાય છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP