બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Two-month-old baby girl thrown by mother from third floor in Civil

ઘટસ્ફોટ / બે માસની બાળકીને માતાએ સિવિલ હોસ્પિ.માં ત્રીજા માળથી ફેંકી, હત્યા પાછળ જે કારણ આપ્યું તે જાણી ચોંકી જશો

Priyakant

Last Updated: 04:06 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે બાળકી ફેંકનાર માતાની ધરપકડ કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી

  • અમદાવાદ સિવિલમાં બાળકી ફેકી દેવાનો મામલો  
  • પોલીસે બાળકી ફેંકનાર માતાની ધરપકડ કરી 
  • પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી
  • સિવિલમાં ત્રીજા માળેથી બાળકીને માતાએ ફેંકી દીધી હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને ફેંકી દેવા મામલે હવે ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, માતાએ જ પોતાની બાળકીને ત્રીજા માળેથી ફેંકી દઈ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. જે બાદમાં માતાએ બાળકી ગુમ થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું હતું. આ તરફ મહિલાની આ કરતૂતનો હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો હોઇ આ ઘટસ્ફોટ થયો હતો. હાલ તો પતિએ તેની પત્ની વિરુ્દ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે  આરોપીની ધરપકડ કરી છે. 

અમદાવાદ સિવિલ 1200 બેડની હોસ્પિટલમાં બાળકીના મોત બાદ હવે મોટો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, ફરજાબાનું મલેક નામની મહિલાની માસુમ દીકરી બીમાર હોઈ અગાઉ વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. જે બાદમાં અમદાવાદ સિવિલ 1200 બેડની હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ હતી. આ દરમ્યાન 1 જાન્યુઆરીએ ફરજાબાનું મલેક નામની મહિલાએ પોતાના પતિને સવારે કહ્યું હતું કે, દિકરી મળતી નથી.  

સગી માતાએ જ દીકરીની કેમ કરી હત્યા?

હાલમાં મળતી વિગતો મુજબ દીકરીને બીમારીની પીડા અને દુઃખથી મુક્તિ આપવા માતા એ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમઆ જન્મથી દીકરી સતત બીમાર રહેતી હોવાથી માતાએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. મહત્વનું છે કે, અગાઉ વડોદરા હોસ્પિટલમાં 24 દિવસ  સારવાર લીધી હતી. જે બાદમાં બાળકીને 14 ડિસેમ્બરથી સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં એડમિટ હતી. જ્યાં માતાએ જ 2 માસની દીકરીને ત્રીજા માળેથી નીચે ફેંકી હત્યા કરી હતી. 

કેવી રીતે ભાંડો ફૂટ્યો ? 

1 જાન્યુઆરીએ સવારે ફરિયાદી હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સૂઈ રહ્યા હતા. તે સમયે તેમની પત્ની ફરજાનાબાનુ તેમની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દિકરી મળતી નથી. ત્યારબાદ તેમણે પણ દિકરીની શોધખોળ કરી હતી અને ન મળી આવતા પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ વોર્ડના સિક્યોરિટીને જાણ કરી હતી. તેમ જ હોસ્પિટલના  સ્ટાફ અને પોલીસે સાથે રહીને C3 વોર્ડના લોબીમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેમની પત્ની ફરજાનાબાનુ દિકરીને લઈને વહેલી સવારના 4.15 વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી અને વોર્ડના બહાર આવેલી ગેલેરીમાં ઉભી રહી અને ત્યારબાદ ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી અમીનબાનુંએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં હવે પોલીસે મહિલાની ધરપકડની કાર્યવાહી હાથધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ