બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Try this recipe to control your sugar level from today

હેલ્થ / સાયલન્ટ કિલર ડાયાબિટીસ, આજથી જ શુગર લેવલને કંટ્રોલમાં કરવા અજમાવો આ નુસખા

Pooja Khunti

Last Updated: 12:08 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરી આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.

દિવસેને દિવસે લોકોમાં ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન કરી અને આયુર્વેદની મદદથી તમે આ સમસ્યાથી બચી શકો છો. આયુર્વેદિક દવાઓ કોઈ પણ આડઅસર વગર તમને આ બીમારીથી છુટકારો અપાવશે. આ 4 સુપરફૂડ્સના સેવનથી તમે ટાઈપ 2 અને ટાઈપ 1 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકશો. 

અળસીના બીજ 
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે અળસીના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં ફાયબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. અળસીના બીજ માત્ર ડાયાબિટીસ માટે જ નહીં પણ હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

મરી 
મરી આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે. 1 મરીને પીસી 1 ચમચી હળદર સાથે મિક્સ કરી, સવારે ખાલી પેટ અથવા રાત્રે જમવાના 1 કલાક પહેલા તેનું સેવન કરો. 

તજ 
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તજ ઉપયોગી થઈ શકે છે. તેના સેવનથી જમ્યા પછી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તજના સેવનથી તમે વજન પણ ઘટાડી શકો છો. આ સાથે તે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. 1 ચમચી તજ પાવડરમાં અળધી ચમચી હળદર અને અળધી ચમચી મેથી પાવડર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવો. તમારે આ ચૂર્ણનું સેવન ખાલી પેટ કરવાનું છે. 

વાંચવા જેવું: દિવસમાં આટલા કલાકથી વધુ સમય સુધી ન પહેરવી જોઈએ બ્રા! જાણો શું કહે છે એક્સપર્ટ્સ

મેથીના બીજ 
વર્ષોથી લોકો તેમના ભોજનમાં મેથીનો ઉપયોગ કરે છે. મેથીના બીજ સ્વાદમાં કડવા હોય છે. મેથીના બીજનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તમારે મેથીના બીજનું ચૂર્ણ બનાવવાનું છે. દરરોજ સવારે ખાલી પેટ અથવા રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એક ચમચી મેથીના ચૂર્ણનું સેવન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ