બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Today Tulsi vivah is going to be very important Gaj Kesari yoga, 3 zodiac signs will suddenly become rich.

ધર્મ / આજે તુલસી વિવાહ પર બની રહ્યો છે અતિમહત્વનો ગજ કેસરી યોગ, 3 રાશિના જાતકો એકાએક બની જશે અમીર

Megha

Last Updated: 08:40 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસી વિવાહ નિમિત્તે અનેક શુભ યોગોની સાથે સાથે ગજકેસરી યોગ પણ રચાઈ રહ્યો છે. આવો જાણીએ તુલસી વિવાહમાં ગજકેસરી યોગ બનવાનો લાભ કઈ રાશિના જાતકોને મળશે…

  • આજે ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વિવાહનું આયોજન થાય 
  • તુલસી વિવાહના દિવસે ગજકેસરી યોગ બની રહ્યો છે
  • આ યોગોની રચના 3 રાશિના લોકોને બમ્પર લાભ આપશે

તુલસી વિવાહ કારતક મહિનાની સુદ બારસ તિથિએ કરવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 24 નવેમ્બરે એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે દેવી લક્ષ્મીનું સ્વરૂપ તુલસી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી અને શાલિગ્રામ સાથે લગ્ન કરવાથી કન્યાનું દાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. 

શું તમારા ઘરમાં પણ છે તુલસીનો છોડ? તો જાણી લેજો આ 3 નિયમ, નહીં તો આવી જશે  દરિદ્રતા vastu tips these rules important when you plant tulsi in home

ગજકેસરી રાજયોગની રચના થઈ રહી છે
તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને શુક્રવાર પણ દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ ઉપરાંત તુલસી વિવાહના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ગજકેસરી યોગની પણ રચના થઈ રહી છે. તુલસી વિવાહના દિવસે આ યોગોની રચના 3 રાશિના લોકોને બમ્પર લાભ આપશે. આ લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ કૃપાળુ રહેશે. 

મેષ
ગુરુ અને ચંદ્રના સંયોગથી મેષ રાશિમાં બનેલો ગજકેસરી રાજયોગ આ જાતકોને ઘણો લાભ આપશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આ લોકોને અપાર સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપશે. લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તમને સમાજમાં માન અને પદ મળશે. 

ભૂલથી પણ આ દિવસે તુલસીને ન ચઢાવવું જોઈએ જળ, ઘરની આર્થિક પરિસ્થિતિ પર થશે  અસર | vastu tips tulsi plant ravivar ekadashi soorya grahan chandra grahan  par na chadhaye tulsi par jal

કર્ક
કર્ક રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગ માતા લક્ષ્મીના આશીર્વાદ લાવશે. આ લોકોને ઘણી સંપત્તિ મળશે. જીવનની દરેક સમસ્યાનો અંત આવી શકે છે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. નવું વાહન, મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. 

કુંભ
કુંભ રાશિના જાતકોને ગજકેસરી યોગ કારકિર્દીમાં નવી ઊંચાઈઓ આપશે. વેપારમાં પ્રગતિ થશે. આધ્યાત્મિકતામાં રસ વધશે. વર્ષ 2024માં તમને ઘણો ફાયદો થશે. દેવી લક્ષ્મીની કૃપાથી ધનમાં વૃદ્ધિ થશે. જો કોર્ટમાં કોઈ કેસ છે તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ