બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These symptoms are seen in the body when the liver is damaged
Pooja Khunti
Last Updated: 10:55 AM, 27 February 2024
આજે ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે લીવરની સમસ્યાઓ વધી ગઈ છે. દિવસેને દિવસે દેશમાં લીવરના દર્દીઓ વધી રહ્યા છે. જેમનું વજન વધુ છે અથવા સ્થૂળતા ધરાવતા લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. જેમને લીવરને લગતી સમસ્યા છે, તેમને જલ્દીથી ચેપ લાગી શકે છે, લીવર ખરાબ પણ થઈ શકે છે. લીવર ખરાબ થતાં શરીરમાં આ લક્ષણો જોવા મળે છે. જાણો આ લક્ષણો વિશે.
ખંજવાળ આવે
જો તમને શરીરમાં એકદમ ખંજવાળ આવતી હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. રાત્રે હાથ-પગમાં ખંજવાળ આવવી એ ખરાબ લીવરના લક્ષણો છે. તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો.
પેટની આજુબાજુના ભાગમાં સોજો આવી જવો
જ્યારે લીવર ખરાબ થઈ જાય છે ત્યારે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે. જેના કારણે તમારા પેટનો આકાર બદલાઈ જાય છે. આ સાથે પેટની આજુબાજીના ભાગમાં સોજો પણ આવી જાય છે. જો તમને આ લક્ષણો દેખાય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.
તમને ઊલટી થાય છે અને ઊબકા આવે
જો તમને સતત ઊલટી અને ઊબકા આવતા હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ લીવર ખરાબ થવાના કારણે પણ થઈ શકે છે.
પગમાં સોજો ચડવો
જો તમને પગમાં વારંવાર સોજો આવી જતો હોય અને ખાલી ચડતી હોય તો આ લીવર ખરાબ થવાના કારણે થઈ શકે છે. આ સમસ્યા રાત્રે વધુ જણાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.
ઊંઘ ઓછી આવે
તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ સમસ્યા લીવર ખરાબ થવાના કારણે પણ થઈ શકે છે. લીવર શરીરના ઝેરી અને નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જો લીવર ખરાબ થઈ જાય તો આ પદાર્થ લોહીમાં જમા થવા લાગે છે. જેના કારણે તમને ઊંઘ નથી આવતી.
વાંચવા જેવું: ડાયાબિટીસની બીમારીને મજાકમાં ન લેતા! બની શકે છે કિડની ફેલનું કારણ, જાણો કેવી રીતે
લીવરને ખરાબ થતાં કેવી રીતે અટકાવી શકાય
તમારું લીવર સ્વસ્થ રહે તે માટે તમારે દારૂનું સેવન ન કરવું જોઈએ. ખરાબ ખાનપાનની આદત છોડી દો. સ્વસ્થ ખોરાક ખાવ. ફેટવાળા ખોરાકને ખાવાનું ટાળો. જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh