બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / 'There is no unemployment in the country and the state', MP Rambhai Mokaria's statement, Congress hit back
Vishal Khamar
Last Updated: 08:23 PM, 16 May 2023
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ઓડિયોરિયમમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ રોજગાર ભરતી મેળો 2023 માં નિમણૂંક પત્ર અપાયા હતા. તેમજ વડાપ્રધાન વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે નોકરીનાં નિમણૂંકના પત્ર એનાયત કરવાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહીઃ રામભાઈ મોકરીયા
દેશમાં 45 સ્થળોએ આજે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગારી મેળામાં રાજ્યસભાનાં સાંસદ રોજગારી મુદ્દે બોલ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાએ નિવેદન આપ્યું હતું કે દેશ અને રાજ્યાં બેરોજગારી છે જ નહી. ઘરે કામવાળી, ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતા જ નથી. તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે.
હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએઃ રામભાઈ
રાજકોટમાં હીટ એન્ડ રન કેસ બાબતે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, હીટ એન્ડ રન કેસ બાબતે હું પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરીશ. તેમજ હાઈ પ્રોફાઈલ કેસ કે સામાન્ય કેસ હોય તટસ્થ તપાસ થવી જોઈએ. 2 દિવસ પહેલા રામાપીર ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. તેમજ આજ રોડ પર મનપાની બેદરકારીથી ખાડામાં પડતા યુવાનનું મૃત્યું થયું હતું. મેં પોલીસ અને મનપા અધિકારીઓ સાથે વાત કરી તપાસની માંગ કરી હતી.
હું કોઈ સંસ્થા કે કચેરીમાં ખોટુ થતું હોઈ તો રજુઆત કરું છુંઃ રામભાઈ
સૌરાષ્ટ્ર યુનિ. માં ભાજપનાં બે જૂથ વચ્ચે સમાધાનની વાત મામલે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, મારૂ કોઈ જૂથ નથી, મારૂ કોઈ ગ્રુપ નથી. હું કોઈ સંસ્થા કે કચેરીમાં ખોટું થતું હોય તો રજૂઆત કરૂ છું. કોઈ જૂથ સમાધાનની વાત વાહિયાત છે. હું નરેન્દ્ર મોદીનો સૈનિક છું. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિ. માં બે જૂથ વચ્ચે સમાધાનની વાત વહેતી થઈ હતી.
ભાજપનાં સાંસદનાં નિવેદન પર કોંગ્રેસનાં ગંભીર આક્ષેપ
રોજગારીના દાવાને લઇને ભાજપ સાંસદ રામ મોકરીયાના નિવેદન પર કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. રામ મોકરીયાએ દેશમાં બેરોજગારી ન હોવાના દાવા સાથે ઉદાહરણ આપ્યું હતું કે ઘરે કામ માટે ઓફિસમાં પટાવાળો મળતા નથી, તો આ દાવાને વખોડતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં યુવાનો પાસે નોકરી નથી. તેમજ ઉદ્યોગોમાં પણ લાંબા સમયથી મંદી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh