બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 02:04 PM, 15 January 2024
ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં લીહોડામાં શંકાસ્પદ ઝેરી પીણા બાબતે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો છે. આ લઠ્ઠાકાંડ હપ્તાખોરીને કારણે થયેલી હત્યા છે. ભાજપનાં રાજમાં હપ્તાખોરીનાં કારણે એક પછી એક લઠ્ઠાંકાંડ થાય છે. બોટાદ, નડીયાદ હવે ગાંધીનગરનાં દહેગામમાં લઠ્ઠાકાંડ થયો છે. ભાજપ સરકારમાં નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચે છે. ગુજરાત ધીમે ધીમે પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે.
શું કહ્યું સરપંચે ?
લીહોડા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે. વિગતો મુજબ લીહોડા ગામના સરપંચ માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું છે કે, બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લેતા હોય છે. આ સાથે કહ્યું કે, અનેક વખત રજૂઆત કરી છતા કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાથે વર્ષો વિત્યા છતા બીટ જમાદારની બદલી પણ થઇ ન હોવાનું પણ સરપંચે જણાવ્યું છે.
શું કહ્યું SPએ ?
સમગ્ર ઘટના મામલે SPએ નિવેદન આપતા કહ્યું છે કે, દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. જેમાં 2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. SP એ કહ્યું કે, પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી છે. આ સાથે જો સ્થાનિક PIની ભૂલ જણાશે તો પગલા લેવાશે.
વધુ વાંચોઃ ભઠ્ઠીમાંથી ધગધગતું સ્ટીલ ઓગળીને શ્રમિકો પર પડ્યું, ત્રણના નિધન: કચ્છમાં મોટી દુર્ઘટના
શું છે સમગ્ર મામલો ?
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી. જોકે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાને લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir