બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / There are a few things you should keep in mind while making Bhog

માન્યતા / ભૂલથી પણ ભગવાનના ભોગમાં આ ચીજ ન ઉમેરતા! નહીં તો થઇ શકે છે અનર્થ, જાણો કેમ

Published By: Sanjay Vibhakar

Last Updated: 12:13 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષના જણાવ્યા મુજબ, ઘણીવાર કેટલાક લોકો ભગવાનને ભોગ લગાવ્યા પછી તે પ્રસાદને તરત જ ગ્રહણ કરી લે છે. જેમકે આવું ન કરવું જોઈએ.

દરેક વ્યક્તિ તેના ઘરે ભગવાનની પૂજા કરતી હોય છે. આ સાથે ભોગ પણ ચડાવે છે. કેટલાક લોકો તેમના ઘરમાં બનતા ભોજનને જ ભોગ તરીકે ચડાવે છે અને ત્યારબાદ તે ભોગને પ્રસાદ તરીકે ગ્રહણ પણ કરે છે. ઘણા લોકો ભગવાનને ખુશ રાખવા માટે મોદક, મીઠાઈઓ, ફળો અને અન્ય કોઈ વાનગીઓ પણ ચડાવે છે. હવે આ કોઈ જરૂરી નથી કે ભગવાનને ચડાવેલ દરેક ભોગ દેવી-દેવતાઓને પસંદ જ આવે. ભગવાનને ભોગ લગાવતા સમયે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ભોગ બનાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો 
જ્યોતિષના જણાવ્યા મુજબ, જ્યારે તમે ભોગ બનાવી રહ્યા હોય ત્યારે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ભગવાનના ભોગમાં તુલસીનું પાન પણ અર્પણ કરતાં હોય છે. દરેક દેવી-દેવતાઓને તુલસીનું પાન પસંદ નથી. ભગવાન વિષ્ણુને તુલસી પસંદ છે એટલે તેમના ભોગમાં તુલસીનું પાન રાખવું જોઈએ, પરતું ભગવાન શિવને તુલસી પસંદ નથી. તેથી તેમના ભોગમાં તુલસીનું પાન ન રાખવું જોઈએ. ભગવાન ગણેશને પણ ભોગમાં તુલસીનું પાન અર્પણ કરવું ન જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ અને ભગવાન ગણેશ તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમારા કામ બગડી શકે છે. આ સાથે આર્થિક નુકસાન પણ થઈ શકે છે. 

વાંચવા જેવું: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ

ભગવાનને ભોગ લગાવ્યા પછી આ કામ કરવું 
જ્યોતિષના જણાવ્યા મુજબ, ઘણીવાર કેટલાક લોકો ભગવાનને ભોગ લગાવ્યા પછી તે પ્રસાદને તરત જ ગ્રહણ કરી લે છે. જેમકે આવું ન કરવું જોઈએ. તમારે આ પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ. એક એવી માન્યતા છે કે ભગવાનનો પ્રસાદ ગાયને ખવડાવવામાં આવે તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ગાયને પ્રસાદ ખવડાવ્યા પછી જ તમારે તે પ્રસાદ ખાવો જોઈએ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો તમને તમારી પૂજાનું વિશેષ ફળ મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astronews Lord Shiva tulsi ગાય જ્યોતિષ શાસ્ત્ર તુલસી ભગવાન ગણેશ ભોગ Dharma

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ