બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / The world's loneliest man dies, known as the Indian of the Hall, lived in the Amazon forest for 26 years

Brazil / દુનિયાના સૌથી એકલા વ્યક્તિનું મોત, ઇન્ડિયન ઓફ ધ હૉલ તરીકે ઓળખાતો, 26 વર્ષ સુધી એમેઝોનનાં જંગલોમાં રહ્યો

Megha

Last Updated: 12:37 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એ આદિવાસીએ ઇશારામાં કહી દીધું હતું કે તેને એકલા રહેવું છે અને કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ ન કરતાં.

  • એમેઝોન જંગલમાં રહેતા આદિવાસીના કબીલાના એકમાત્ર સભ્યનું મૃત્યુ
  • તેને દુનિયાના સૌથી એકલા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતો 
  • દુનિયાના સંપર્કમાં આવવાની ના કહી દીધી હતી

બ્રાઝિલના એમેઝોન જંગલમાં રહેતા મૂળ નિવાસી આદિવાસીના કબીલાના એકમાત્ર સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. દુનિયાના સૌથી એકલા વ્યક્તિના રૂપમાં મશહૂર એ વ્યક્તિને જમીનમાં ખાડો ખોદીને પશુઓના શિકાર કરવા માટે પણ ઓળખાતો હતો. 

સમુદાયના દરેક લોકોની મોત પછી 26 વર્ષ એકલો રહ્યો 
-1980ના દાયકામાં શિકારીઓ અને લાકડાની તસ્કરી કરનારાઓએ તેમના કબીલાના દરેક લોકોને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બસ આ એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. બ્રાઝિલ સરકારના જનજાતિ સરંક્ષણ દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ તેને દુનિયાના સંપર્કમાં આવવાથી ના કહી દીધી હતી. તેને કારણે જ તેને 26 વર્ષ સુધી એકલું જંગલમાં જીવવું પડ્યું હતું.
-તેને દુનિયાના સૌથી એકલા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આદિવાસીના કબીલા અને તે વ્યક્તિનું નામ શું હતું એ કોઈ નથી જાણી શક્યું. 
-ઘણી વખત શિકારીઓ અને લાકડાના તસ્કરોના હુમલા પછી બ્રાઝિલ સરકારે સંસદમાં કાયદો બનાવીને એમના નિવાસના 31મીલ જેટલી જગ્યાને બીજા લોકો માટે પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષીત કરી દીધું હતું. 
-શિકારીઓ એ 30 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 

એકલું રહેવું હતું
એ આદિવાસીએ ઇશારામાં કહી દીધું હતું કે તેને એકલા રહેવું છે અને કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ ન કરતાં. એટલા માટે જનજાતિ સંરક્ષણ ટ્રસ્ટના કર્મચારીઓ શિકાર અને બીજા કામકાજની વસ્તુઓ તેના તેમના રહેઠાણના વિસ્તારમાં રાખીને પાછા આવી જતાં હતા. જો કે તેની ગતિ વિધિઓ પર નજર પણ રાખવામાં આવતી હતી. 

કુદરતી કારણોસર થઈ મૃત્યુ 
ગયા બુધવારે સરંક્ષણ ટ્રસ્ટના અધિકારીઓએ તેને તેના ઘાસના બનેલ ઘરમાં મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો. તેની મૃત્યુ કુદરતી કારણોસર થઈ હતી. સાથે જ એક અધિકારીએ કણાવ્યું હતું કે દુનિયાના સૌથી એકલા વ્યક્તિને તેના જ ઘરમાં દફનાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ