બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / the ukraine returned students expressed their gratitude to government
Parth
Last Updated: 11:14 PM, 26 February 2022
આ ફ્લાઈટમાં 219 નાગરિકો હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પોતે તેમનું સ્વાગત કરવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા અને વિદ્યાર્થીઓને હિંમત આપી.
'ત્યાં સુધી અમે રોકાઈશું નહીં...'
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુદ્ધના મધ્યભાગમાંથી સફળ સ્વદેશ પરત ફરેલા વિદ્યાર્થીઓના આગમન પર એરપોર્ટ પર કહ્યું કે આ સંકટની શરૂઆતથી જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવાનો હતો. 219 વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા છે. આ પહેલી બેચ હતી, બીજી ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે. જ્યાં સુધી તેઓ બધા ઘરે પાછા ન આવે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.
यूक्रेन में फंसे 219 भारतीयों को लेकर पहली निकासी उड़ान मुंबई पहुंची..विमान ने आज दोपहर रोमानिया की राजधानी बुखारेस्ट से उड़ान भरी थी... स्वागत के लिए केंद्रीय मंत्री पीयूष गोयल हवाई अड्डा पर मौजूद रहे...#Ukraine #UkraineInvasion #UkraineWar #RussiaUkraineWar pic.twitter.com/VoUjpKdPjZ
— Raja Mishra (@akashmishra29) February 26, 2022
પરત ફરેલા વિદ્યાર્થીઓએ આવી પ્રતિક્રિયા આપી હતી
ઉલ્લેખનીય છે કે, જ્યારે યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક ભારત પહોંચ્યા ત્યારે તેમની આંખો ભીની હતી અને તેઓ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હતા. ત્યાંથી પરત ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે અમને ભારત સરકારમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ યુદ્ધના વાતાવરણમાં અમે બધા ખૂબ જ ભયભીત અને ડરી ગયા હતા. ભારત સરકારે અમને સફળતાપૂર્વક અમારા ઘરે પાછા લાવીને એક મહાન કાર્ય કર્યું છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની આ વાપસી ઓપરેશન ગંગા હેઠળ થઈ છે.
પ્રથમ ફ્લાઈટ આવી દિલ્હી
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે કર્યું સ્વાગત
યુક્રેનથી આવેલા 219 પ્રવાસીઓ મુંબઈમાં ઉતર્યાં ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ ઊભા હતા અને તેમણે તમામ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.
The first evacuation flight carrying 219 passengers from Ukraine, has landed in Maharashtra's Mumbai.
— ANI (@ANI) February 26, 2022
The plane had taken off from the Romanian capital Bucharest this afternoon. pic.twitter.com/Bb19P6eGEv
Union Minister Piyush Goyal welcomes Indian students evacuated from Ukraine at Mumbai Airport pic.twitter.com/eqUfOuViyw
— ANI (@ANI) February 26, 2022
એરપોર્ટ પર તમામ પ્રવાસીઓની તપાસ કરાઈ
ભારત સરકારના નિયમ મુજબ એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ કરાઈ હતી. તેમના વેક્સિનના ડોઝ અને આરટી-પીસીઆર રિપોર્ટની તપાસ કરવામાં કરવામાં આવી હતી.
સરકારે ભારતીયોને પાછા લાવવા રોમિનિયા મોકલી હતી પહેલી ફ્લાઈટ
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલો લોકોને સ્વદેશ લાવવા માટે એર ઈન્ડીયાની એક સ્પેશિયલ ફ્લાઈટને રોમાનિયા રવાના કરવામાં આવી હતી. યુક્રેને યુદ્ધને પગલે તેનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો હોવાથી ત્યાં વસતા ભારતીયોને જુદી જુદી બોર્ડરેથી ભારત લાવવાનો સરકાર પ્લાન કર્યો હતો જે હેઠળ પહેલા તબક્કામાં 219 લોકોને યુક્રેનમાંથી ખસેડીને રોમાનિયા લાવવામાં આવ્યાં હતા અને ત્યાંથી સરકાર મોકલેલી વિશેષ ફ્લાઈટમાં તેમને મુંબઈ લવાયા હતા.
યુક્રેની રાષ્ટ્રપતિ Zelenskyએ પ્રધાનમંત્રી મોદીની મદદ માગી
યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમનો રાજકીય સહયોગ માગ્યો છે. યુક્રેનની એવી ઈચ્છા છે કે ભારત યુએનમાં તેના પક્ષમાં વોટિંગ કરે.
રશિયાએ ભારતનો આભાર માન્યો
રશિયાએ ભારતનો આભાર મા્નયો છે. રશિયાએ ટ્વિટ કરીને કહ્યું કે 25 ફેબ્રુઆરી, 2022ના દિવસે UNSCમાં વોટિંગના દિવસે ભારતની સ્વતંત્ર અને સંતુલિત સ્થિતિની કદર કરીએ છીએ. વિશેષ અને વિશેષાધિકાર રણનીતિક ભાગીદારીની ભાવનાને અનુરુપ, રશિયા યુક્રેનના મુદ્દે ભારત સાથે ગાઢ સંવાદ ચાલુ રાખવાની કટિબદ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir