બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / The seat which is considered as the stronghold of Congress will be a big challenge for Hardik Patel
Malay
Last Updated: 02:32 PM, 16 November 2022
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિરમગામ બેઠક પર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ' અને પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ગયેલા હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપે અનેક દિગ્ગજો અને તેમના સહિયોગીઓની ઉપર જઈને હાર્દિક પટેલની પસંદગી કરી છે, જે ટિકિટ માટે દાવેદાર હતા. જોકે, કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ દ્વારા ફરી વર્તમાન ધારાસભ્ય એવા લાખાભાઈ ભરવાડને ટિકિટ આપવામાં આવશે કે પછી નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
જીત મેળવવી સાબિત થઈ શકે છે મુશ્કેલ
હાર્દિક પટેલને ટિકિટ મળતા ધારાસભ્ય બનવા માટે પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. વિશ્લેષકોના મતે વિરમગામ બેઠક પર જીત મેળવવી તેમના માટે ‘મુશ્કેલ’ સાબિત થઈ શકે છે. કારણ કે વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. બીજુ વિરમગામ વિધાનસભા બેઠકના મતદારો પક્ષપલટો કરનારને સ્વીકારતા નથી.
પાટીદાર ફેક્ટર નહીં કરી શકે વધારે અસર
હાર્દિક પટેલ માટે વિરમગામ બેઠક જીતવી અઘરી તો છે, કારણે અહીં પાટીદાર સિવાય ઠાકોર, કોળી, લઘુમતી સમાજના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેથી માત્ર પાટીદાર ફેક્ટરના આધારે વિરમગામ વિધાનસભા સીટ હાર્દિક જીતી શકે નહીં પરંતુ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. દરેક સમાજને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના જોરે તેઓ કદાચ જીતી શકે છે.
વિરમગામ વિધાનસભામાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધારે
વિરમગામ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. વિરમગામ તાલુકો, દેત્રોજ – રામપુરા તાલુકો અને માંડલ તાલુકો. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. આ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, ક્ષત્રિય મતદારોનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. વિરમગામ મત વિસ્તારના કુલ મતદારો 3.02 લાખ છે. જેમાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધુ 95 હજારથી વધુ છે. જ્યારે પાટીદાર મતદારોની સંખ્યા 38 હજારથી વધારે છે.
2012માં ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતા
આ પહેલાં વર્ષ 2012માં આ બેઠક કોંગ્રેસના ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતાં. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી. તેઓ 2017ની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યાં હતાં.
ગત ચૂંટણીમાં તેજશ્રીબેન હારી ગયા હતા
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548 મતોથી વિજય મેળવ્યો હતો.
ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો
તેજશ્રીબેન એક ખૂબ સારાં વક્તા અને સામાજિક કાર્યકર હતાં, પરંતુ પક્ષપલટો કર્યા બાદ વિરમગામ વિધાનસભાના લોકોએ તેમને સ્વીકાર્યાં ન હતાં. આ પરથી એવું લાગે છે કે વિરમગામના લોકો પક્ષપલટો કરનાર ઉમેદવારોનો સ્વીકાર કરતા નથી ત્યારે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે. વિરમગામ વિધાનસભા બેઠકના મતદારોનો મૂડ ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir