બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / The government really...', cotton income is full but the price is disappointing, there is uproar among the farmers.
Vishal Khamar
Last Updated: 10:37 PM, 21 October 2023
ગીર સોમનાથ જીલ્લો કે જ્યાં ઉના ગીર ગઢડા અને સુત્રાપાડા પંથક માં મોટા પ્રમાણમાં કપાસ નું વાવેતર થાય છે જેમાં પણ ઉના ગીર ગઢડા નો મુખ્યત્વે પાક એટલે કપાસ. પરંતુ ચાલુ વર્ષે ગીરમાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અને કપાસમાં રોગના કારણે અનેક ખેડૂતોનો કપાસ નષ્ટ થયો છે. તો કેટલાય ખેડૂતોનો કપાસ નષ્ટ થવાની તૈયારીમાં છે.
ચાલુ વર્ષે કપાસનાં ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી
સામાન્ય રીતે કપાસ આઠ સુધી રહે છે. અને ચાર થી પાંચ મહિના સતત ઉત્પાદન આપે છે. પરંતુ ચાલુ વર્ષે ગીરમાં આવું નહિ થાય. અને વહેલો કપાસ પૂર્ણ થઈ હશે. તેવામાં કોડીનાર માર્કેટયાર્ડની સબયાર્ડ ડોળાસા ખાતે કપાસની હરાજીનો પ્રારંભ થતાં ગીરમાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. કારણ કે ગત વર્ષે કપાસના ભાવ સારા મળી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે ઓછા મળી રહ્યા છે. જેની સામે ઉત્પાદન ઘટવા લાગ્યું છે.
હાલ માત્ર 1250 થી 1500 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે
સામાન્ય રીતે એક વિધો કપાસનું ઉત્પાદન લેવામાં ખેડૂતને બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત 12 થી 15 હજાર ખર્ચ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અને ત્યારબાદ જયારે માર્કેટમાં કપાસ લઈને જઈએ તો માત્ર 1250 થી 1500 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.
હાલમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પૂરતા ભાવ મળતા નથીઃ ખેડૂત
ખેડૂતોનું કહેવું છે સરકાર ખરેખર ખેડૂતોની આવક બમણી કરવા ઈચ્છતી હોય તો 2 હજાર રૂપિયા કપાસનો ભાવ હોય તો જ ખેડૂતને પરવડે અન્યથા ખેડૂતને ખર્ચ માથે પડે. તો બીજી તરફ વેપારીઓ અને માર્કેટના સત્તાધિશોનું કહેવું છે. હાલમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જો કે આગામી દિવસોમાં દિવાળી બાદ કપાસમાં ભેજનું પ્રમાણ ઓછું થશે અને નિકાસ થશે એટલે કપાસના ભાવમાં વધારો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir