બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 06:56 PM, 20 April 2023
જામનગરમાં આજે ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો છે. જેમાં જામનગરમાં ચાલુ ST બસમાંથી 2 વિદ્યાર્થી નીચે પટકાયા હતા. ત્યારે અચાનક બસનો કાચ તૂટી જતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા તેનાં CCTV પણ સામે આવ્યા છે. ત્યારે સીસીટીવીમાં સ્પષ્ટ બસની પાછળનો કાચ તૂટતો જોવા મળ્યો છે. રોડ પર સ્પીડ બ્રેકર આવવા સમયે બસનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાં ધ્રોલ- જોડિયા- જામનગર રૂટની બસમાં બની હતી. જાણવા મળ્યા મુજબ એસટી બસમાં 125 થી પણ વધુ મુસાફરો સવાર હતા. ધ્રોલ-જોડિયા- જામનગર રૂટમાં માત્ર એક બસ હોવાથી 125 મુસાફરો બેસાડ્યા હતા. ત્યારે આ રૂટમાં વધુ બસ કેમ નથી મુકવામાં આવતી તે મોટો સવાલ છે.
બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
જોડીયાથી જામનગર આવી રહેલી બસમાં 125 મુસાફરો ભરવામાં આવ્યા હતા. ત્યારે સ્પીડ બ્રેકર પાસે અચાનક ડ્રાઈવરે બ્રેક મારી હતી. જેનાં કારણે બસની પાછળનો કાચ તૂટી ગયો હતો અને પાછળ બેઠેલા બે છોકરાઓ રોડ પર પટકાયા હતા. ત્યારે સદનસીબે બસની પાછળ કોઈ મોટું વાહન આવતું ન હોઈ ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. બાળકો રોડ પર પટકાતા તેઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ડ્રાયવર-કંડક્ટર સામે કાર્યવાહિ ક્યારે?
અત્રે ઉલ્લેખનીય છે કે એસટી બસમાં અવાર નવાર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવતા અકસ્માત સર્જાવાનો ભય રહેલો હોય છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ જોડીયાથી જામનગર જઈ રહેલી એસટી બસમાં પણ કંડક્ટર દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડ્યા હોઈ આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો હોત તો તેનાં માટે જવાબદાર કોણ તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે એસટી વિભાગ આ બસનાં ડ્રાયવર કંડક્ટર સામે કાર્યવાહિ કરશે કે નહી તે પણ એક પ્રશ્ન છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh