બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / The father donated the property and both the sons applied to the High Court to get the property
Malay
Last Updated: 02:43 PM, 16 February 2023
પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતાં તેમના બંન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યા છે. મિલકતમાંથી બેદખલ થયેલા પુત્રોએ હક મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જેથી હાઈકોર્ટે ખાનગી ટ્રસ્ટ અને પાવર ઓફ એટર્નીને નોટિસ કાઢીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.
માતાની ખબર કાઢવા યુ.કેથી ન આવ્યા બંને દીકરાઓ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રશ્મિકાંતભાઈ ઠક્કર તેમના પત્ની નીમાબેનની સાથે એકલા રહેતા હતા. જ્યારે ઇન્કમટેક્સ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત થયેલા રશ્મિકાંતભાઈના બંને દીકરા યુ.કેમાં સ્થાયી થયા હતા. વર્ષ 2018માં રશ્મિકાંતભાઈના પત્ની નીમાબેનને કીડનીની બીમારી થતાં તેઓ પથારીવશ થઈ ગયા હતા.આ દરમિયાન રશ્મિકાંતભાઈએ યુ.કે ખાતે રહેતા બંને દીકરાઓને માતાને મળવા આવવા કહ્યું હતું. જોકે, તેઓ માતાને મળવા ભારત આવ્યા નહોતા.
માતાની અંતિમવિધિમાં પણ દીકરા રહ્યા ગેરહાજર
જે બાદ વર્ષ 2019માં નીમાબેનનું મૃત્યુ થયું હતું. જેથી બંને દીકરાઓને માતાની અંતિમવિધિ માટે આવવા કહ્યું હતું. છતાં એકય આવ્યા નહોતા. જેથી રશ્મિકાંતભાઈ અને તેમના પત્નીની સેવા ચાકરી કરતા તેમના મિત્રના દીકરા કિશોર ઓડેદરાને તમામ મિલકત આપી દેવાનો નિર્ણય રશ્મિકાંતભાઈએ કર્યો હતો. પરંતુ કિશોરે મિલકત સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેથી રશ્મિકાંતભાઈએ તેમના મૃત્યુ બાદ સેટેલાઈટમાં આવેલો બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપી દીધા હતા. તેમણે પાવર ઓફ એટર્ની બનાવી લીધું હતું.
પિતાએ ટ્રસ્ટને દાનમાં આપી દીધી મિલકત
બે વર્ષ બાદ રશ્મિકાંતભાઈનું અવસાન થતાં તેમની ઈચ્છા મુજબ તેમનો બંગલો અને ઓફિસ તેમણે અગાઉથી જ નક્કી કર્યા મુજબ ટ્રસ્ટને આપી દીધાં હતાં. તેમના અવસાન બાદ બન્ને દીકરા યુ.કે.થી ઈન્ડિયા આવ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના પિતાએ બંગલો અને સીજી રોડ પર આવેલી ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે. તેમના પિતાની એક પાઇ પણ તેમને આપી નથી. જેથી બંને દીકરીએ મિલકત મેળવવા હાઈકોર્ટમાં પહોંચ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh