બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Kinjari
Last Updated: 05:32 PM, 27 May 2021
ઉત્તર પ્રદેશના ઇટાવાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ધામધૂમથી થઇ રહેલસા લગ્નમાં ખળભળાટ મચી ગયો જ્યારે દુલ્હનની મોત થઇ ગઇ હતી. લગ્નની વિધી શરૂ થઇ ગઇ હતી અને ફેરા પહેલા દુલ્હનને અચાનક હાર્ટએટેક આવતા મોત થઇ ગઇ હતી.
લગ્નમાં આ પ્રકારની ઘટના ઘટે ત્યારે બે પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી જાય છે. દુલ્હનપક્ષના એક વ્યક્તિએ કહ્યું કે મંગળવારે 25 મેના રોજ તેની બહેનના લગ્ન ધામધૂમથી થઇ રહ્યાં હતા પરંતુ અચાનક શોકની લહેર છવાઇ ગઇ હતી.
રાત્રે 8 વાગ્યાની આસપાસ વિધી શરૂ થઇ હતી અને જયમાળા તેમજ અન્ય વિધીઓ પૂરી થઇ હતી. સાત ફેરા માટે બંને પક્ષ તૈયારીમાં લાગેલા હતા અને તેની વચ્ચે જ રાત્રે 2 વાગ્યાની આસપાસ દુલ્હન અચાનક બેભાન થઇ ગઇ હતી. દુલ્હન બેહોશ થઇ ત્યારે બધા જ લોકો ગભરાઇ ગયા હતા.
ઝડપથી દુલ્હનને ગામના એક હોસ્પિલમાં લઇ જવામાં આવી હતી અને ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ ખુશીનો માહોલ દુઃખમાં પરિણમ્યો હતો.
લગ્નમાં રહેલા સંબંધીઓ અને વરરાજાના પરિવાર સાથે વાતચીત કરીને દુલ્હનની નાની બહેન સાથે લગ્ન કરવવામાં આવ્યા અને આ વિધિ દરમિયાન દુલ્હનના શબને એક રૂમમાં રાખવામાં આવ્યો અને વિદાય બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ