બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / The answer given by Prashant Bhushan is even more insulting, the Supreme Court remarked
Nirav
Last Updated: 02:33 PM, 25 August 2020
પ્રશાંત ભૂષણના કોર્ટની અવમાનના કેસમાં આજે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે ભૂષણને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવે. તેમને સજા આ આપવામાં આવે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણે તેમની ટિપ્પણીના જવાબમાં જે નિવેદન આપ્યું છે તે વધુ અપમાનજનક છે. નોંધનીય છે કે છેલ્લી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે 2009માં આપેલા પોતાના નિવેદન પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું, જો કે તેમણે તેના માટે વગર શરતે માફી માંગી નહોતી.
શું કહ્યું હતું પ્રશાંત ભૂષણે 2009માં ?
પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે 2009 માં આપેલ મારા નિવેદનનો અર્થ ભ્રષ્ટાચાર નહીં પરંતુ તેઓ પોતાની ફરજ સરખી રીતે નથી બજાવી રહ્યા તેની વાત કરવાનો હતો. નોંધનીય છે કે 2009માં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના 8 પૂર્વ જજોને ભ્રષ્ટ કહ્યા હતા.
અગાઉ પણ જજો બોલી ચૂક્યા છે આ મુદ્દે: એટર્ની જનરલ
સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું હતું કે ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને ઘણા પૂર્વ જજો પણ બોલી ચૂક્યા છે, માટે પ્રશાંત ભૂષણને માત્ર ચેતવણી આપીને છોડી મૂકવા જ વધુ હિતાવહ છે. આ પ્રકારના નિવેદનો માત્ર કોર્ટને એટલું કહેવા માટે હોય છે કે તેમની કામગીરી લોકોને અસ્પષ્ટ દેખાઈ રહી છે, તેનામાં સુધારની આવશ્યકતા છે. પ્રશાંત ભૂષણને આવ નિવેદનો ફરી ન આપવા માટે ચેતવણી દઈને છોડી મૂકવા જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ