બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Priyakant
Last Updated: 03:18 PM, 23 November 2022
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને ટી20 સીરીઝ બાદ વનડે સીરીઝ રમવા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે જ્યાં તમામ સિનિયર ખેલાડીઓ પણ સાથે હશે. આ દરમિયાન ભારતીય ટીમને મોટો આંચકો લાગી શકે છે. કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે બીસીસીઆઈ કે રવિન્દ્ર જાડેજા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે, જેમાં રવિન્દ્ર જાડેજા માટે ભાગ લેવો મુશ્કેલ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના છેલ્લા ભાગમાં ટીમ ઈન્ડિયા માટે આ સીરિઝ મહત્વની છે, સાથે જ જો રવિન્દ્ર જાડેજા તેનો હિસ્સો નથી તો તે પણ એક મોટો ફટકો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને એશિયા કપ-2022 દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે ટૂર્નામેન્ટની વચ્ચેથી બહાર થઈ ગયો હતો. આ પછી તે ટી-20 વર્લ્ડ કપ 2022નો ભાગ બન્યો ન હતો અને ન તો ન્યૂઝીલેન્ડ સિરીઝનો અને હવે તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી પણ બહાર છે.
આ તરફ રવિન્દ્ર જાડેજાએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. થોડા દિવસોના આરામ બાદ તે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી પણ ચેકઅપ માટે પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાની પસંદગી સમિતિ દ્વારા બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ સાથે જ તેની ફિટનેસના અપડેટ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
Pleasure meeting you sir @AmitShah #jamnagar pic.twitter.com/xqfcHCMtFk
— Ravindrasinh jadeja (@imjadeja) November 21, 2022
હાલ ગુજરાત ચૂંટણી પ્રચારમાં છે રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટી વતી જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસની વાત કરીએ તો ભારતે અહીં 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.
બાંગ્લાદેશ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ
બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ
ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ-
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir