બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / Teachers will be recruited permanently, so why the system of Gnanasahayak? Why is Adhartal a permanent option for a student to get a good education?
Vishal Khamar
Last Updated: 10:32 PM, 11 September 2023
જ્ઞાન સહાયક યોજનાની અમલવારી માટે સરકાર તત્પર છે અને બીજી તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો આ યોજના સામે વિરોધ કરી રહ્યા છે. સરળ ભાષામાં સમજીએ તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 મહિનાના કરાર આધારીત શિક્ષકોની ભરતી થશે. જો કે એ સ્પષ્ટતા કરવી જ રહી કે સરકારના કહેવા પ્રમાણે જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ આ વ્યવસ્થા રહેશે. પરંતુ કરાર આધારીત ભરતી મોટેભાગે રાજ્ય સરકારને માફક આવી જતી હોય છે અને એટલે જ ટેટ-ટાટ પાસ ઉમેદવારો એવુ માને છે કે સરકાર જતે દહાડે કાયમી ભરતીની વાતને વિસારી દેશે.
હવે સરકારના જ ધારાસભ્યોના પત્ર, શિક્ષણમંત્રીનું એમ કહેવું કે આ યોજનામાં જોડાવવું હોય તો જ જોડાવ નહીંતર ઘરે બેસો, એ તમામ વાતને બાજુ પર રાખીને મૂળભૂત સવાલ એટલો જ કરીએ કે શિક્ષકોની ભરતી કાયમી થાય તો એ સારા શિક્ષણનો વિકલ્પ બની શકે?. આપણે આપણી આસપાસ જ નજર કરીએ તો વિદ્યાર્થી અને વાલી બંને પક્ષે પહેલી પસંદ કોઈ સારી ખાનગી શાળા જ કેમ હોય છે?. સરકારી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે તાજેતરમાં જ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં કલેક્ટરે જે રિપોર્ટ તૈયાર કર્યો હતો તેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. સરકારને વારંવાર સવાલ કરતા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પણ એ સવાલનો જવાબ આપવો જ રહ્યો કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ પોતાના અભ્યાસના ભાથામાં શું રાખીને બેઠા છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો સરકાર સામે વિરોધ છે. જ્ઞાનસહાયકની ભરતી સામે વિરોધ થયો છે. સરકારના બે ધારાસભ્યોએ પણ શિક્ષણમંત્રીને પત્ર લખ્યા છે. ઉમેદવારોએ પણ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. કોંગ્રેસે રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે. અગત્યનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળશે કે કેમ? શિક્ષકોની ભરતી હંગામી હોય કે કાયમી, વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ મળશે?
જ્ઞાનસહાયક સામે બે ધારાસભ્યોનો મત
જ્ઞાનસહાયકની ભરતી સામે ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય અને અમરાઈવાડીના ધારાસભ્યએ વિરોધ કર્યો છે. ગુલાબસિંહ ચૌહાણ અને હસમુખ પટેલે કુબેર ડિંડોરને પત્ર લખ્યો હતો. પત્રમાં જ્ઞાનસહાયકની ભરતી ઉમેદવારો અને વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાનો મત છે. આ ભરતી થવાથી TET-TAT પાસ ઉમેદવારોને અન્યાય થશે. શિક્ષકોની કરાર આધારીત ભરતી અટકાવવા રજૂઆત કરી છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારો શું કહે છે?
ટેટ-ટાટ પરીક્ષાની ઘણા વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. શિક્ષક તરીકે જોડાવું તેમનું અંતિમ લક્ષ્ય છે. અમારુ ભવિષ્ય જ સુરક્ષીત નથી તો વિદ્યાર્થીઓનું શું? નવી શિક્ષણનીતિમાં કરાર આધારીત ભરતીને સ્થાન ન હોવું જોઈએ. મહિનાઓ વીત્યા છતા કાયમી ભરતીની જાહેરાત થતી નથી.
સરકારનો તર્ક શું છે?
જ્ઞાનસહાયકની ભરતી કાયમી વ્યવસ્થા નથી. સરકાર કાયમી ભરતી કરશે. જ્ઞાનસહાયક તરીકે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જોડાવું ફરજિયાત નથી. ઉમેદવારો જોડાશે તો સ્કૂલ પસંદગીની તક આપવામાં આવશે.
જ્ઞાનસહાયક યોજનાને સમજો
સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે. 11 મહિના માટે જ્ઞાનસહાયકની નિમણૂંક થશે. 11 મહિના પૂર્ણ થયે કરાર આપમેળે રદ ગણાશે. સમીક્ષાના આધારે કરાર રિન્યુ કરી શકાશે. કરાર રિન્યુ કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. યોજનાને બે વર્ષ પૂર્ણ થયે માનદ વેતનમાં વધારાની વિચારણા થશે. શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃતિ કરવાની રહેશે. ઉમેદવારને વતન કે નજીકના વિસ્તારનો વિકલ્પ અપાશે. જ્ઞાનસહાયક યોજનાના અમલ પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે.
આ સવાલના જવાબ પણ જરૂરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh