બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Ta Five-year-old boy loses life after mobile battery explodes in Jharkhand's Pak

ચેતવણીજનક ઘટના / ઘટનામાંથી બોધપાઠ લેજો ! મોબાઈલની બેટરી ફાટતા 5 વર્ષના માસૂમનું મોત, આવી રીતે બની ઘટના

Hiralal

Last Updated: 09:16 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલની બેટરી ફાટવાને કારણે બાળકના મોતની વધુ એક ઘટના બની છે.

  • બાળકોને મોબાઈલ આપવાની ભૂલ ન કરે માતાપિતા
  • મોબાઈલની બેટરી ફાટવાને કારણે વધુ એક બાળકનું મોત
  • ઝારખંડના પાકુડમાં મોબાઈલ બેટરી ફાટી, પાંચ વર્ષના માસૂમનું મોત

ઈન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં બાળકોને મોબાઈલ આપવો હવે જોખમરુપ બની ગયો છે. મોબાઈલની બેટરી ફાટવાને કારણે મોતની વધુ એક ઘટના બની છે. ઝારખંડના પાકુડમાં મોબાઈલની બેટરી ફાટતા પાંચ વર્ષનો માસૂમ ઈજાગ્રસ્ત થયો હતો. બેટરી બ્લાસ્ટ બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સોનુ મરાંડી તરીકે થઈ છે. 

કેવી રીતે બની ઘટના 

રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢીને માસ્ટર ચાર્જરમાં તેને ચાર્જ કરવા માટે મૂકી દીધી.બાળકના પિતા બહાર ગયા ત્યારે સોનુએ ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થયો હતો. આ કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. જે બાદ પીડિતાને તાત્કાલિક સદર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

યુપીના મિરઝાપુરમાં પણ 12 વર્ષના છોકરાનું મોત થયું હતું
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મોબાઈલની બેટરી ફાટવાથી યુપીના મિરઝાપુરમાં 12 વર્ષના બાળકનું મોત થયું હતું. 

બાળકોને મોબાઈલ આપવો ખતરાથી ખાલી નહી

મોબાઈલને કારણે બાળકોના મોતની આ કંઈ પહેલી ઘટના નથી. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. આવા કિસ્સામાં માતાપિતાએ ચેતવાની જરુર છે. બાળકોને મોબાઈલ આપતી વખતે વધારે સાવધાન રહેવાની જરુર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ