બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / સુરતના સમાચાર / Surat diamond merchant donates 101 kg gold for Ayodhya Ram temple
Last Updated: 10:35 AM, 22 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં રામ મંદિર સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છે. તેમાં 22મી જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામ મંદિર માટે દેશ અને દુનિયાના કરોડો ભક્તોએ પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે. રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના હીરાના વેપારીએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે.

ADVERTISEMENT
સુરતની હીરા ફેક્ટરીના માલિક દ્વારા દાન આપવામાં આવ્યું
આ દાતા દિલીપ કુમાર વી. લાઠી છે જેઓ સુરતના સૌથી મોટા હીરાની ફેક્ટરીના માલિક છે. તેમણે રામ મંદિરમાં લગાવેલા 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે.

ADVERTISEMENT
અનેક લોકો દ્વારા દાન આપવામાં આવ્યું
રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે. બીજું સૌથી મોટું દાન કથાકાર મોરારી બાપુના અનુયાયીઓ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા મંદિરને અર્પણ કર્યા હતા.ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક છે.
વધુ વાંચોઃ અયોધ્યા રામ મંદિર માટે દાનમાં આપવામાં ટોપ-3 ગુજરાતી: જુઓ કોના કોના છે નામ
ADVERTISEMENT
રામ મંદિર માટે 3 હજાર કરોડથી વધુનું દાન મળ્યું
માર્ચ 2023 સુધીમાં જ રામમંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. મંદિરમાં અત્યાર સુધી થયેલા નિર્માણ પાછળ લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂરું થાય ત્યાં સુધી અંદાજે 300 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.