બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / State School Management Mahamandal Trust appealed to all schools to keep 22nd holiday
Dinesh
Last Updated: 08:51 PM, 9 January 2024
Ayodhya Ram Mandir: અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે.તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે. જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે દર વર્ષે મળતી સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે.
વાંચો પત્ર
ઉત્તર પ્રદેશમાં રજા અપાઈ
અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.
વાંચવા જેવું: રામ મંદિરના 'ગોલ્ડન ગેટ'ની પ્રથમ તસવીર! સુંદર કારિગીરી મન મોહી લેશે, 1000 વર્ષ સુધી રહેશે સુવર્ણ ચમક
મુખ્યમંત્રીએ અધિકારીઓ નિર્દેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પછી શરૂ થનાર પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી રીતે સુવિધા મળવી જોઈએ. જો કે, આ બધી તૈયારીઓ વચ્ચે અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રજાની માંગ કરાઈ છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir