બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
ParthB
Last Updated: 10:34 AM, 4 April 2022
નવા પોલીસ કમિશનર તરીકે બે નામ ચર્ચામાં
રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે ચર્ચા કે મુહિમ તેજ બની છે. મહત્વનું છે કે, 5 જેટલા IPS ઓફિસરના નામ રાજકોટ સી.પી. તરીકે ચર્ચામાં હતાં. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ IPS અધિકારી રાજુ ભાર્ગવ અથવા વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહનું નામ રાજકોટના નવા સી.પી.તરીકે હશે તેવું જોર પકડયું છે.
ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર કમિશનર અગ્રવાલ કે ક્રાઈમ બ્રાન્ચ સામે અગાઉ કોઈ કથિત કમિશનકાંડ કે જમીનોના, હવાલાઓના કામો કર્યાના આક્ષેપો ન હતા અને ઓન પેપર રાજકોટ પોલીસ પોલીસ કમિશનરની છબી પૂર્વ મુખ્યમંત્રીના કાળમાં ઉજળી હતી, એ સમયે જ સી.પી. અગ્રવાલનો ત્રણ વર્ષનો રાજકોટ પોલીસ કમનિશનર તરીકેનો કાર્યકાળ પુરો થયો હોવાની રેગ્યુલર બદલી આવશેની અને નવા કોણ તેવી વાતો ચાલતી હતી. જો કે મુખ્યમંત્રી ચેન્જ થયા સરકારનો તખ્તો બદલાયા બાદ ચિત્રપણ બદલાઈ ગયું હતું.
ઉચ્ચ IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર
રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન લીધાના કથિત આક્ષેપો સામે ઈન્કવાયરી બાદ મનોજ અગ્રવાલને પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ સાઈડલાઈન ગણાતી અને એક સમયે એસપી રેંકની પોસ્ટ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને અગ્રવાલને ત્યાં મુકી દેવાયા છે.
મનોજ અગ્રવાલની બદલી બાદ હાલમાં ઇન્ચાર્જ કમિશનર
હાલ રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે છે. ત્યારે હાલ રાજકોટમાં નવા સી.પી. તરીકે રાજુ ભાર્ગવ અને વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંહનું પણ નામ ચર્ચામાં આવ્યું હતું. એક તબકકે રાજકોટની વર્તમાન સ્થિતિ જોતા ડેમેજ કંટ્રોલ કરવા સમશેરસિંહ આવશે તેવી ચર્ચાઓ વધુ મજબૂત બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh