બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / social worker and Padma Shri recipient Sindhutai Sapkal passed away at the age of 74
ParthB
Last Updated: 08:09 AM, 5 January 2022
Pune | Renowned social worker and Padma Shri recipient Sindhutai Sapkal passed away at the age of 74. She was admitted to the hospital for the last 1.5 months and died due to a heart attack today: Medical Director, Galaxy Hospital, Dr Shailesh Puntambekar pic.twitter.com/aGpDib79Ww
— ANI (@ANI) January 4, 2022
સિંધુતાઈ સપકલનું પુણેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
મળતી માહિતી મુજબ, એક મહિના પહેલા સિંધુતાઈ સપકલનું હર્નિયાનું ઓપરેશન થયું હતું. પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ શૈલેષ પુનતામ્બેકરે આપી છે. સિંધુતાઈ સપકલને 'માઈ' કહેતા. તેઓ પુણેમાં સનમતિ બાલ નિકેતન સંસ્થા નામનું અનાથાશ્રમ ચલાવે છે. તેમણે તેમના જીવનમાં 1,200 થી વધુ અનાથ બાળકોને દત્તક લીધા હતા. આમાંના ઘણા લોકો આજે પોતે અનાથાશ્રમ ચલાવે છે. સિંધુતાઈને તેમની સામાજિક સેવા માટે ઘણા એવોર્ડ મળ્યા છે.
Dr. Sindhutai Sapkal will be remembered for her noble service to society. Due to her efforts, many children could lead a better quality of life. She also did a lot of work among marginalised communities. Pained by her demise. Condolences to her family and admirers. Om Shanti. pic.twitter.com/nPhMtKOeZ4
— Narendra Modi (@narendramodi) January 4, 2022
PM મોદીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું ડો. સિંધુતાઈ સપકલને તેમની સમાજ પ્રત્યેની ઉમદા સેવા માટે યાદ કરવામાં આવશે. તેમના પ્રયત્નોને લીધે ઘણા બાળકો સારી ગુણવત્તાનું જીવન જીવી શક્યા. તેમણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો વચ્ચે પણ ઘણું કામ કર્યું. તેમના મૃત્યુથી મને દુઃખ થયું છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.ઓમ શાંતિ.
કોણ છે સિંધુ તાઈ?
સિંધુ તાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ભરવાડ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, સિંધુ તાઈનું બાળપણ વર્ધામાં વીત્યું હતું, તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે વીત્યું હતું. સિંધુ જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેના લગ્ન એક મોટી ઉંમરના પુરુષ સાથે થયા હતા.સિંધુ તાઈ ચોથા ધોરણ સુધી જ ભણી હતી, તે આગળ ભણવા માંગતી હતી પરંતુ લગ્ન બાદ તેના સાસરિયાઓએ તેનું સપનું સાકાર થવા દીધું ન હતું.
સિંધુ તાઈને સાસરે અને પિયરમાં સ્થાન ન મળ્યું
અભ્યાસથી માંડીને એવી ઘણી નાની-મોટી બાબતો હતી, જેમાં સિંધુ તાઈને હંમેશા અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેમણે તેની સામે અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ પરિણામ એ આવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આટલું જ નહીં, સાસરિયાં તેમને ઘરની બહાર કાઢી મુકી પરંતુ તેમના માતા-પિતાએ પણ તેમને અહીં રાખવાની ના પાડી દીધી.
સિંધુ તાઈને 700થી વધુ સન્માન મેળવ્યા હતાં
તેમના ઉમદા કાર્ય માટે સિંધુ તાઈને અત્યાર સુધી 700 થી વધુ સન્માનો મળ્યા છે. સિંધુ તાઈએ તેમને અત્યાર સુધી મળેલા સન્માનમાંથી મળેલી રકમ તેમના બાળકોના ઉછેરમાં ખર્ચી નાખી.તેમણે ડીવાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ પૂણેમાંથી ડોક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. તેમના જીવન પર મરાઠી ફિલ્મ મી સિંધુતાઈ સપકલ બનાવવામાં આવી છે, જે વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh