બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 10:02 AM, 29 March 2024
Lok Sabha Election 2024 : ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની બીજી રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. હવે તેઓ મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો આમ થશે તો ગોવિંદાનો સામનો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકર સાથે થશે. જોકે સીએમ શિંદે કહી રહ્યા છે કે, ગોવિંદા કોઈ શરત સાથે શિવસેનામાં જોડાયા નથી. તેઓ ચોક્કસપણે તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
આ એ જ ગોવિંદા છે જેમનું રાજકીય ડેબ્યૂ વર્ષ 2004માં થયું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાંથી જીતીને સંસદ પહોંચ્યા હતા. ગોવિંદા 20 વર્ષ પહેલા ઉત્તર મુંબઈ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ ભાજપના અનેક વખત સાંસદ અને શક્તિશાળી નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જોકે ગોવિંદાએ બાદમાં રાજકારણ છોડી દીધું હતું. જે બાદ તેના પર દાઉદ સાથે કનેક્શન હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
રામ નાઈકે કર્યા હતા ગંભીર આક્ષેપો
ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે દાવો કર્યો હતો કે, ગોવિંદાએ 2004ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તરથી તેને હરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને બિલ્ડર હિતેન ઠાકુરની મદદ લીધી હતી. તેમણે તેમના પુસ્તક 'ચરૈવેતિ, ચરૈવેતિ' (આગળ વધતા રહો)માં પણ આનો ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, ગોવિંદા દાઉદ અને ઠાકુર સાથે મિત્રો હતા. ચૂંટણીમાં મતદારોને ડરાવવા માટે તેણે આ બંનેનો સહારો લીધો હતો. નાઈકે એક ટીવી ચેનલ પર ગોવિંદાની ફિલ્મો ચલાવીને ચૂંટણીમાં ગોવિંદાને મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
આરોપોને લઈ શું કહ્યું હું ગોવિંદાએ ?
ગોવિંદાએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, લોકોએ જ તેને જીતાડ્યો હતો. પોતાના પર લાગેલા આરોપો પર ગોવિંદાએ કહ્યું હતું કે મને તે સમયે કોઈના સમર્થનની જરૂર નહોતી. આવી વાતો કરીને રામ નાઈક કહેવા માંગે છે કે તે સંસદીય ક્ષેત્રના લોકોને અંડરવર્લ્ડને વેચી દેવામાં આવ્યા હતા. આવી વાતો કરીને કોઈનું અપમાન ન કરો.
એક પણ દિવસ સંસદની કાર્યવાહીમાં ભાગ ન લીધો
ગોવિંદા સાંસદ બન્યા બાદ ગૃહમાં ગેરહાજર રહેતા લોકોમાં ટોપ પર હતા. તેઓ એક દિવસ પણ ગૃહની કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. જ્યારે પત્રકારોએ આ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા ઉપરાંત, થોડા વર્ષો પહેલા રાજસ્થાનમાં તેની પત્ની અને બે બાળકો સાથે થયેલા જીવલેણ અકસ્માત બાદ તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
#WATCH | Veteran Bollywood actor Govinda joins Shiv Sena in the presence of Maharashtra CM Eknath Shinde pic.twitter.com/vYu2qYDrlO
— ANI (@ANI) March 28, 2024
આ કારણે મેં રાજકારણને અલવિદા કહ્યું
ગોવિંદાએ 2009માં તેમની રાજકીય ઇનિંગ્સનો અંત આણ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસમાં તેમના હરીફોએ તેમના કાર્યકાળ દરમિયાન તેમના માટે અવરોધો ઉભા કર્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવનાર ગોવિંદાએ નકારી કાઢ્યું હતું કે, પાર્ટીએ તેમને કોઈ લાભ આપ્યો નથી. તેણે કહ્યું હતું કે, હું મારા જ પક્ષમાં શાબ્દિક રીતે કોર્નર થઈ ગયો હતો. કેટલાક લોકો મારી સાથે કામ કરવા માંગતા ન હતા. તેથી મેં ફરીથી ચૂંટણી લડવાને બદલે માત્ર પ્રચાર કરવાનું નક્કી કર્યું.
આ બધાની વચ્ચે હવે જ્યારે તેની ફિલ્મી કરિયર સારી નથી ચાલી રહી ત્યારે તેણે શિવસેના સાથે પોતાની બીજી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતા ગોવિંદાના પ્રવેશ સાથે, મહાયુતિને સેલિબ્રિટી ટચ મળશે અને ગોવિંદાની સાથે, તેના સહ કલાકારો સહિત ઘણા સેલેબ્સ પણ પ્રચાર માટે હાજર રહેશે, જેનો ફાયદો શિવસેનાને થઈ શકે છે. તેઓ ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
શું કહ્યું એકનાથ શિંદેએ ?
શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ એક અનુભવી નેતાની જેમ મીડિયા સાથે વાતચીત કરી. પત્રકારો સાથે વાત કરતી વખતે ગોવિંદા હસતો અને મજાક કરતો જોવા મળ્યો હતો. સીએમ એકનાથ શિંદેએ પણ ગોવિંદાને જોરદાર પ્રોત્સાહન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ શિંદેએ કહ્યું કે ગોવિંદાના આગમનથી પાર્ટી વધુ મજબૂત બનશે. જ્યારે એકનાથ શિંદેને ગોવિંદા ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવી કોઈ શરત નથી. તેમણે ટિકિટ માંગી નથી, પરંતુ ગોવિંદા અમારા ઉમેદવારોને જીતાડવા માટે ચોક્કસ પ્રચાર કરશે.
#WATCH | On joining Shiv Sena, Veteran Bollywood actor Govinda says, "I was in politics from 2004 to 2009 and that was the 14th Lok Sabha. This is an amazing coincidence that now, after 14 years, today I have come into politics again..." pic.twitter.com/Qnil9ov8zV
— ANI (@ANI) March 28, 2024
વધુ વાંચો: 'મારા પિતાને ધીરે-ધીરે ઝેર...', પિતા મુખ્તાર અંસારીના મોત પર પુત્ર ઉમરનો ગંભીર આક્ષેપ
હું 14 વર્ષના વનવાસ પછી રાજકારણમાં પાછો ફર્યો: ગોવિંદા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોવિંદાએ કહ્યું કે, તે રાજનીતિની બીજી ઇનિંગને ભગવાનનો સંદેશ માની રહ્યો છે, કારણ કે 2004 થી 2009 સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા બાદ તેણે રાજકારણથી દૂરી લીધી હતી. હવે ગોવિંદા કહી રહ્યા છે કે, 14 વર્ષના વનવાસ પછી તેઓ એ જગ્યાએ આવ્યા છે જ્યાં વાસ્તવમાં રામ રાજ્ય છે. આ પ્રસંગે ગોવિંદા ભાવુક જોવા મળ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir