બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Arohi
Last Updated: 07:39 PM, 17 November 2022
ભારતમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે પીળી હળદરનો ઉપયોગ ન કર્યો હોય. આ આપણા કિચનનો એક મહત્વ પૂર્ણ ભાગ છે. તેના વગર કોઈ પણ સારી ડિશ અધુરી દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય કાળી હળદર વિશે સાંભળ્યું છે? જો નહીં તો અમે આજે આ મસાલા વિશે તમને જણાવીશું.
ક્યાં મળે છે કાળી હળદર?
કાળી હળદર મુખ્યત્વે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચા માટે પણ કોઈ દવાથી ઓછું નથી. ચાલો જાણીએ કે તે આપણા માટે કેવી રીતે ઉપયોગી છે.
કાળી હળદરના 4 જબરદસ્ત ફાયદા
જલ્દી ભરાઈ જશે ઘા
ક્યાંક છોલાવવા અથવા વાગવા માટે આપણે ઘણા પ્રકારની સ્કિન ક્રિમનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમે આયુર્વેદ સારવાર ઇચ્છતા હોવ તો ઇજાગ્રસ્ત વિસ્તાર પર કાળી હળદરની પેસ્ટ લગાવો. આમ કરવાથી ઘાવ ઝડપથી રૂઝાય છે
પાચન તંત્ર થશે સારૂ
કાળી હળદરનો ઉપયોગ પેટની સમસ્યાઓ માટે કરવામાં આવે છે કારણ કે તે પાચનને સુધારવાનું કામ કરે છે. જો કોઈને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો આ મસાલો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે કાળી હળદરનો પાવડર તૈયાર કરો અને તેને પાણીમાં મિક્સ કરીને પીવો.
સ્કિન માટે ફાયદાકારક
પીળી હળદરની જેમ કાળી હળદર પણ ત્વચા માટે ફાયદાકારક છે. આ મસાલાને મધમાં મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવશો તો જબરદસ્ત ગ્લો આવશે. આ સિવાય ચહેરાના ડાર્ક સ્પોટ્સ અને પિમ્પલ્સથી પણ તમને છુટકારો મળશે.
સાંધાના દુખાવામાં મળશે રાહત
વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય વાત છે, જ્યારે દુખાવો વધવા લાગે ત્યારે એન્ટીઑકિસડન્ટ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર કાળી હળદરની પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો, તેનાથી સોજામાં પણ રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ